AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath જિલ્લામાં ઘઉં, ચણા સહિતનો શિયાળુ પાક ઓછો આવવાની ભીતિ, જાણો શું છે કારણ ?

ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનું વાવેતર સારુ એવું થયું હતું. તેમાં ઘઉં, ચણા તથા અન્ય પાકોનું વાવેતર થયું હતુ. આ વર્ષે રવી પાકની‌ વાત કરીએ તો ઘઉંનું વાવેતર 49800 હેક્ટરમાં વાવેતર થયું છે.

Gir somnath જિલ્લામાં ઘઉં, ચણા સહિતનો શિયાળુ પાક ઓછો આવવાની ભીતિ, જાણો શું છે કારણ ?
Wheat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 5:24 PM
Share

ગીર સોમનાથ ‌(Gir somnath )જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં પાક ( Winter Crops)ઓછો આવવાની ભિતી છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીર ગઢડા એમ‌ 6 તાલુકાની વાત કરીએ તો ટોટલ 107000 હેક્ટરમાં ‌વાવેતર‌‌ થયુ છે. આ વર્ષે ખેડૂતોના (Farmer)પાકમાં કમોસમી વરસાદ અને માવઠાની અસર જોવા મળી રહી ‌છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોના ઉભા પાક ઘઉં, ચણાના પાકોમાં ફુગ અને રાતડ અને અન્ય રોગ જોવા મળી રહ્યો હતો. તેને લઈને‌ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આમ તો શિયાળુ પાકમાં ખેડૂતોને કમોસમી વરસાદ ‌અને માવઠા‌ને‌ કારણે રાતડ જેવા રોગોથી ઉભા પાકોમાં નુકસાન ‌જોવા‌ મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન ગીર સોમનાથ જીલ્લામાં સારો એવો વરસાદ થયો‌ હતો. તેમાં પાણીના તળ પણ ઉંચા આવ્યા છે. પરંતુ મોસમમાં ફેરફારને લઈને ખેડૂતોના પાકોનું કાંઈ નક્કી નથી રહેતુ. ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસા ‌ પાકોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું હતું.

ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ રથી 3 વાર માવઠા, કમોસમી વરસાદ, ભારે પવનના કારણે વાવેતરમાં નુકસાની‌ સેવાઇ રહી છે. તેથી પાકોમાં ફુગ અને રાતડ જેવા રોગોના કારણે ઘઉં‌નું આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઓછું ઉત્પાદન આવવાની ધારણા સેવાઇ રહી છે. આમ તો છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને આગોતરા‌ પાછોતરા વરસાદને લીધે‌ ખેડૂતોના ‌પાકોમાં નુકસાની જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનું વાવેતર સારુ એવું થયું હતું. તેમાં ઘઉં, ચણા તથા અન્ય પાકોનું વાવેતર થયું હતુ. આ વર્ષે રવી પાકની‌ વાત કરીએ તો ઘઉંનું વાવેતર 49800 હેક્ટરમાં વાવેતર થયું છે. ચણાનું વાવેતર 28842 હેક્ટરમાં વાવેતર થયુ છે. જ્યારે અન્ય પાકોની વાત કરીએ તો 29000 હેક્ટરમાં વાવેતર‌ થયું છે. ગીર સોમનાથમાં ટોટલ વાવેતરની વાત કરીએ તો 107000 હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ‌વાવેતરમાં વધારો જોવા‌ મળી રહ્યો છે. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ઓછા ઉત્પાદન રહેવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચો : Kutch: નિયમ ભંગ કરી બે મોટા ઉદ્યોગો દ્વારા મીઠાના પરિવહન સામે નાના નમક ઉદ્યોગકારોએ લડતની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ, તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે લેબર પીસ-શ્રમશાંતિનો પણ મહત્વનો ફાળો છે: મુખ્યમંત્રી

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">