AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો પણ લઈ શકે છે, દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન

મોદી સરકાર વૃદ્ધો માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવી રહી છે. જો તમે ઇચ્છો તો આ પ્રક્રિયા હેઠળ પીએમ માનધન યોજનાનો લાભ પણ લઇ શકો છો. પીએમ માનધન યોજના હેઠળ, વૃદ્ધોને રહેવા માટે દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.

સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો પણ લઈ શકે છે, દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 4:57 PM
Share

કેન્દ્ર સરકાર ઓછી જમીન ધરાવતા ખેડૂતો અને ગરીબ પરિવારો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનને આર્થિક રીતે સુધારવા માંગે છે. આ યોજનાઓમાં, ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2000-2000 રૂપિયાના હપ્તામાં ટ્રાન્સફર કરે છે. આ સિવાય મોદી સરકાર વૃદ્ધો માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવી રહી છે. જો તમે ઇચ્છો તો આ પ્રક્રિયા હેઠળ પીએમ માનધન યોજનાનો લાભ પણ લઇ શકો છો.

વાસ્તવમાં, પીએમ માનધન યોજના હેઠળ, વૃદ્ધોને રહેવા માટે દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે 18 થી 40 વર્ષની વયજૂથના ખેડૂતો પણ આ યોજના માટે અરજી કરી શકે છે. આ સિવાય જે લોકો પાસે 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન છે તેઓ પણ PM માનધન યોજનાના લાભાર્થી બની શકે છે. પરંતુ આ માટે તેઓએ તેમની ઉંમર પ્રમાણે દર મહિને આ સ્કીમમાં પૈસા જમા કરાવવાના રહેશે. જો તમે અત્યારે 18 વર્ષના છો, તો તમારે PM માનધન માટે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારે 30 વર્ષની ઉંમર પછી, આ રકમ વધીને 110 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે, 40 વર્ષની ઉંમરે, તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

આ રીતે નોંધણી કરો

પીએમ માનધન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ખેડૂતોએ પહેલા કોમન સર્વિસ સેન્ટરમાં જવું પડશે. ત્યાં તમારે તમારી અને તમારા પરિવારની વાર્ષિક આવક જણાવવી પડશે. આ સાથે તમારી જમીન સંબંધિત તમામ દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે.

આ સિવાય બેંક ખાતાને લગતી તમામ માહિતી પણ આપવાની રહેશે. ત્યારબાદ, કોમન સર્વિસ સેન્ટરમાંથી મળેલ અરજી ફોર્મને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. આ પછી તમને પેન્શન એકાઉન્ટ નંબર મળશે, જેમાં તમારે નિયમો અનુસાર દર મહિને રકમ જમા કરાવવાની રહેશે.

નહીં થાય કોઈ આર્થિક સમસ્યા

આ યોજનાની વિશેષતા એ છે કે ખેડૂતો 60 વર્ષની ઉંમર પછી જ તેનો લાભ લઈ શકશે. જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે તમને આ રકમ મળશે. આવી સ્થિતિમાં, 60 વર્ષની ઉંમર પછી, તમને એક વર્ષમાં સરકાર તરફથી પેન્શન તરીકે 36000 રૂપિયા મળશે. આ રીતે તમને વૃદ્ધાવસ્થામાં કોઈ આર્થિક સમસ્યા નહીં થાય.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">