AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!

તાજેતરમાં MSEDCLએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કંપની નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના બિલ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ ચેતવણી આપી હતી કે જે ખેડૂતો બાકી બિલ નહીં ભરે તેમના કનેક્શન કાપી નાખવામાં આવશે.

આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!
Symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:56 PM
Share

મહારાષ્ટ્રના ખેડૂતો(farmers)ને મોટી રાહત મળવાની આશા છે. જેમાં રાજ્યની વીજળી કંપની 12 લાખથી વધુ ખેડૂતોના 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરવાની ઓફર કરી છે. જો આ સ્વીકારવામાં આવશે તો ખેડૂતોને બિલ ચૂકવવા પડશે નહીં. પંપ ચલાવવાના બદલામાં ખેડૂતો પર આ વીજ બિલની રકમ બાકી છે. 

એક નિવેદન અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) એ જણાવ્યું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રના ખેડૂતોનું કુલ 8,007 કરોડ રૂપિયાનું વીજળી બિલ (Electricity Bill) બાકી છે. જો ખેડૂતો તેમના બાકી બિલ ચૂકવશે તો 50 ટકા રિબેટ આપવામાં આવશે. આ ઓફર હેઠળ ખેડૂતોએ 8,007 કરોડ રૂપિયાની અડધી રકમ એટલે કે 4,007 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

ચુકવણી બાબતે બારામતી મોખરે

એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં પશ્ચિમ મહારાષ્ટ્રના 5.52 લાખ ખેડૂતોએ આ ઓફરનો લાભ લીધો છે અને તેમના બાકી વીજળીના બિલો જમા કરાવ્યા છે. ખેડૂતોએ 409 કરોડની બાકી રકમ પેટે કુલ 359 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

વીજ કંપનીએ કહ્યું કે બિલ ભરવામાં બારામતી સર્કલ ટોચ પર છે. અહીં કુલ 3.76 લાખ બિલ જમા થયા છે. તે જ સમયે કોલ્હાપુર સર્કલમાં ખેડૂતોએ 1.42 લાખ બિલ જમા કરાવ્યા છે. પૂણે સર્કલના કુલ 32,683 ખેડૂતોએ આ ઓફરનો લાભ લીધો છે.

બિલ ન ભરવા પર કનેક્શન કાપી નાખવાની ચેતવણી

તાજેતરમાં MSEDCLએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કંપની નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના બિલ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ ચેતવણી આપી હતી કે જે ખેડૂતો બાકી બિલ નહીં ભરે તેમના કનેક્શન કાપી નાખવામાં આવશે.

ગયા વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોના વીજળી બિલના બાકી લેણાં પર વ્યાજ અને લેટ ફી માફ કરી દીધી હતી. નિર્ણય અનુસાર સરકારે કહ્યું હતું કે જો ખેડૂતો તેમના જૂના બિલ ચૂકવે છે તો તેમને 66 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. જો કે ખેડૂતોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓએ આ ઓફરનો લાભ લેવા માટે જૂના બીલ જમા કરાવવાના હોય છે. પરંતુ કંપનીની ચેતવણી બાદ હવે ખેડૂતો ચૂકવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

આ પણ વાંચો: ખેતીની ટેક્નોલોજીમાં નવા ફેરફારો હવે FICCI માં સ્માર્ટ અને ટકાઉ ખેતી પર ખેડૂતોને મળશે સાચી અને સચોટ જાણકારી

Follow Us
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">