AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ?

e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?
e-Shramik Card for Farmers
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:16 PM
Share

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઇ-શ્રમિક કાર્ડ (E-Shramik Card) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે મોટી સંખ્યામાં કામદારો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં, 1 કરોડથી વધુ કામદારોએ ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારો, જેમણે ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવ્યા છે, તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર મળી રહ્યું છે. જો ભવિષ્યમાં કામદારો માટે કોઈ યોજના આવે, તો તેનો લાભ આના દ્વારા આપવામાં આવશે. આ સ્થિતિમાં તે ભવિષ્યમાં કામદારો માટે ખૂબ મહત્વનું બની શકે છે.

માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ પાત્ર છે

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ? તો જવાબ છે ના. માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે.

ભારત સરકાર દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સર્વાંગી કલ્યાણ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આ માટે સરકારે એક ઈ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણપણે મફત છે.

16 થી 59 વર્ષના કામદારો નોંધણી કરાવી શકે છે

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે આવકનો કોઈ માપદંડ નથી. જો કે, કામદાર આવકવેરો ચૂકવનાર ન હોવો જોઈએ. કોઈ પણ અસંગઠિત ક્ષેત્રના કામદાર, જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય, તે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે. નોંધણી માટે આધાર નંબર, મોબાઈલ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતા જેવા દસ્તાવેજો જરૂરી છે.

પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે સરકારે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર – 14434 પણ બહાર પાડ્યો છે. નંબર પર કોલ કરીને, કામદારો આ અંગે વધુ માહિતી અને પ્રક્રિયા જાણી શકે છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે. પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી રાજ્ય સરકારોના વિભાગો સાથે પણ વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : Agriculture : ICAR ના ‘કૃતજ્ઞ’ હેકાથોનમાં તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ઈનામ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">