AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ?

e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?
e-Shramik Card for Farmers
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:16 PM
Share

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઇ-શ્રમિક કાર્ડ (E-Shramik Card) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે મોટી સંખ્યામાં કામદારો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં, 1 કરોડથી વધુ કામદારોએ ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારો, જેમણે ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવ્યા છે, તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર મળી રહ્યું છે. જો ભવિષ્યમાં કામદારો માટે કોઈ યોજના આવે, તો તેનો લાભ આના દ્વારા આપવામાં આવશે. આ સ્થિતિમાં તે ભવિષ્યમાં કામદારો માટે ખૂબ મહત્વનું બની શકે છે.

માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ પાત્ર છે

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ? તો જવાબ છે ના. માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે.

ભારત સરકાર દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સર્વાંગી કલ્યાણ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આ માટે સરકારે એક ઈ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણપણે મફત છે.

16 થી 59 વર્ષના કામદારો નોંધણી કરાવી શકે છે

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે આવકનો કોઈ માપદંડ નથી. જો કે, કામદાર આવકવેરો ચૂકવનાર ન હોવો જોઈએ. કોઈ પણ અસંગઠિત ક્ષેત્રના કામદાર, જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય, તે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે. નોંધણી માટે આધાર નંબર, મોબાઈલ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતા જેવા દસ્તાવેજો જરૂરી છે.

પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે સરકારે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર – 14434 પણ બહાર પાડ્યો છે. નંબર પર કોલ કરીને, કામદારો આ અંગે વધુ માહિતી અને પ્રક્રિયા જાણી શકે છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે. પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી રાજ્ય સરકારોના વિભાગો સાથે પણ વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : Agriculture : ICAR ના ‘કૃતજ્ઞ’ હેકાથોનમાં તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ઈનામ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">