AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કઠોળની માગ 2030 સુધીમાં વધીને 32.64 મિલિયન ટન થશે, ખેડૂતો કઠોળનું ઉત્પાદન વધારીને નફો મેળવી શકશે

અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં એક જવાબમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારનો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM) લાગુ કર્યું છે, જે કેન્દ્ર પ્રાયોજિત યોજના છે.

દેશમાં કઠોળની માગ 2030 સુધીમાં વધીને 32.64 મિલિયન ટન થશે, ખેડૂતો કઠોળનું ઉત્પાદન વધારીને નફો મેળવી શકશે
Pulses Production - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 6:32 PM
Share

છેલ્લા ઘણા વર્ષોમાં દેશમાં કઠોળનું ઉત્પાદન (Pulses Production) વધ્યું છે. કઠોળનું ઉત્પાદન ભવિષ્યમાં પણ ખેડૂતો માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. નીતિ આયોગના કાર્યકારી જૂથે અનુમાન લગાવ્યું છે કે દેશમાં કઠોળની માગ (Pulses Demand) ભવિષ્યમાં નોંધપાત્ર રીતે વધી શકે છે. નીતિ આયોગ જૂથના માગ અને પુરવઠાના અનુમાન મુજબ, દેશમાં કઠોળની માગ 2030 સુધીમાં વધીને 32.64 મિલિયન ટન થઈ શકે છે. નીતિ આયોગનો આ ડેટા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપ્યો છે.

8 વર્ષમાં કઠોળની માગમાં 6 મિલિયન ટનનો વધારો થશે

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, આગામી 8 વર્ષમાં દેશમાં કઠોળની માગ લગભગ 6 મિલિયન ટન વધવાની ધારણા છે. કૃષિ વિભાગે 2021-22 દરમિયાન દેશમાં કઠોળની માગ 26.72 મિલિયન ટન રહેવાનો અંદાજ બહાર પાડ્યો છે. નીતિ આયોગના કાર્યકારી જૂથ અનુસાર, 2030 સુધીમાં દેશમાં કઠોળની માગ વધીને 32.64 મિલિયન ટન થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં, આગામી 8 વર્ષમાં, દેશને લગભગ 6 મિલિયન ટન વધારાની કઠોળની જરૂર છે. જેમાં ખેડૂતો કઠોળનું ઉત્પાદન વધારીને નફો મેળવી શકે છે.

વર્તમાન સિઝનમાં સરપ્લસ ઉત્પાદનનો અંદાજ

કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં રજૂ કરેલા આંકડા અનુસાર, વર્તમાન સિઝનમાં દેશની અંદર કઠોળનું ઉત્પાદન સરપ્લસ રહેવાનો અંદાજ છે. હકીકતમાં, જ્યારે કૃષિ વિભાગે 2021-22 દરમિયાન દેશમાં કઠોળની માગ 26.72 મિલિયન ટન હોવાનો અંદાજ મૂક્યો છે, ત્યારે કૃષિ વિભાગના અન્ય એક અંદાજ મુજબ, આ વર્ષે દેશમાં કઠોળનું અંદાજિત ઉત્પાદન 26.96 મિલિયન ટન છે. આવી સ્થિતિમાં દેશમાં કઠોળનું સરપ્લસ ઉત્પાદન થયું છે.

દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં એક જવાબમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારનો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM) લાગુ કર્યું છે, જે કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. તેમણે કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ્ય ચોખા, ઘઉં, કઠોળ, બરછટ અનાજ અને પોષક અનાજના ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદકતા અને વિસ્તરણ વધારવાનો છે.

આ યોજના હેઠળ કઠોળનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉચ્ચ ઉપજ આપતી જાતોના પ્રમાણિત બીજનું પણ વિતરણ કરવામાં આવે છે. આ સાથે, ખેડૂતોને કૃષિ મશીનરી/ઉપકરણો, કાર્યક્ષમ પાણી બચાવવાના સાધનો, છોડ સંરક્ષણ રસાયણો, પોષક તત્વોનું સંચાલન, જમીન સુધારણા માટે પણ મદદ આપવામાં આવે છે.

આ પણ વાંચો : Success Story: વિદેશમાં અભ્યાસ કરી પરત ફરી યુવતી, નોકરી છોડી હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ઉગાડે છે શાકભાજી

આ પણ વાંચો : Jio ની પેટાકંપની બદલશે ખેતીની તસ્વીર, લોન્ચ કર્યું ઓપરેશન પ્લેટફોર્મ ‘સ્કાયડેક’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">