સતત વરસતો વરસાદ પાક માટે બની શકે છે સમસ્યા, પાકને નુકસાનથી બચાવવા જલ્દી કરો આ કામ

જો ખેતરોમાં પાણી ભરાયેલું હોય, તો પાકના મૂળ નબળા પડી જાય છે અને ખેતરમાં ભેજનું પ્રમાણ વધવાથી હવાનું પરિભ્રમણ પણ અવરોધાય છે. જેના કારણે પાક પર અનેક રોગોનું સંકટ પણ આવવા લાગે છે.

સતત વરસતો વરસાદ પાક માટે બની શકે છે સમસ્યા, પાકને નુકસાનથી બચાવવા જલ્દી કરો આ કામ
Heavy RainImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:20 PM

દેશના અનેક રાજ્યોમાં વરસાદી (Heavy  Rain)માહોલ જામ્યો છે. ખેડૂત (Farmers)ના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. પણ કહેવાય છે કે અતિની ગતિ ન હોય. અતિશય વરસાદની સ્થિતિમાં, કેટલીક ચિંતાઓ પણ ઊભી થઈ છે. ઉદાહરણ તરીકે, જો ખેતરોમાં પાણી ભરાયેલું હોય, તો પાકના મૂળ નબળા પડી જાય છે અને ખેતરમાં ભેજનું પ્રમાણ વધવાથી હવાનું પરિભ્રમણ પણ અવરોધાય છે. જેના કારણે પાક પર અનેક રોગોનું સંકટ પણ આવવા લાગે છે.

આજે અમે તમને જણાવીશું કે સતત વરસાદ વચ્ચે તમારા ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો. દેશના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી વધી રહ્યું છે. જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને જે ખેતરોમાં મોડા પાકનું વાવેતર થયું હોય ત્યાં હજુ પણ છોડ ખૂબ નાના છે અને આ છોડ પાણીને કારણે પડી શકે છે. મોટા પાકમાં પાણી ભરાવાથી મૂળ સડી જાય છે અને જીવાતોના ઉપદ્રવની શક્યતા વધી જાય છે.

યોગ્ય સંચાલન જરૂરી છે

જો આ પ્રકારના વરસાદમાં ખેડૂતો તેમના ખેતરોમાં યોગ્ય વ્યવસ્થાપન નહીં કરે તો તેમના ખરીફ પાકને ઘણું નુકસાન થઈ શકે છે. શાકભાજી અને કઠોળની ખેતીમાં વધુ ખરાબ અસર થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કૃષિ નિષ્ણાતો ડ્રેનેજની વ્યવસ્થા કરવાની સલાહ આપે છે

કૃષિ નિષ્ણાતો કહે છે કે ખેડૂતો ડ્રેનેજની વ્યવસ્થા પર ધ્યાન આપે તો આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે. જો ખેતરોમાંથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ખેતરોમાં પાણી ભરાશે નહીં અને પાકને સડી જવાની અને જીવાતોની સમસ્યાથી બચાવી શકાશે.

સમતલ જમીનમાં નુકસાન થવાની શક્યતા વધુ છે

ઉંચા પારા કે ક્યારા બનાવીને ખેતીમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થતી નથી, પરંતુ સપાટ જમીન પર જે પાકની ખેતી કરવામાં આવે છે તેને પાણી ભરાવાથી ઘણું નુકસાન થાય છે. આ સમસ્યા મોટે ભાગે નદીઓ, તળાવો કે નાળાઓના કિનારે વસેલા ગામડાઓમાં જોવા મળે છે. કારણ કે જ્યારે વરસાદ વધુ પડે છે ત્યારે નદી નાળાઓ ઓવરફ્લો થાય છે અને ઢોળાવમાં ઉભેલા પાકો પાણી ભરાવાને કારણે નષ્ટ થાય છે. જો વિસ્તારો ઊંચા હોય તો આવી કોઈ સમસ્યા ઊભી થતી નથી પરંતુ નીચા વિસ્તારોમાં તો ખરીફ પાક ખૂબ જ નબળા પડી જાય છે. પરિણામે ઉત્પાદન ઘટે છે.

જીવાતો અને રોગોનું જોખમ વધે છે

ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકના મૂળ નબળા પડી જાય છે. આ કારણે સોયાબીન, કપાસ અને મકાઈ જેવા પાકોમાં ફૂગ અને પીળા મોઝેક રોગ થવાની સંભાવના રહે છે. કોબીજ, દુધી અને મરચાંનો પાક પણ વરસાદને કારણે બગડી જાય છે, જેના કારણે ઉત્પાદન સમયસર મળતું નથી અને તેનું પરિણામ મોંઘવારીના રૂપમાં આવે છે.

આ રીતે ઉકેલો

જો કે વરસાદ પાક માટે અમૃત સમાન છે, પરંતુ વધુ પડતો વરસાદ પાકને નુકસાન પહોંચાડે છે, તેથી જ ડ્રેનેજ સિસ્ટમ પર કામ કરવાની જરૂર છે. થોડો વરસાદ પાકને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ જો 7 થી 10 દિવસ સતત વરસાદ પડે તો પાક નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. આથી પાણીની નિકાલ વ્યવસ્થા બનાવવી જરૂરી છે. ઉપરાંત, જીવાતો અને રોગોના લક્ષણો દેખાય તે પછી તરત જ લીમડા આધારિત જંતુનાશકનો છંટકાવ કરો. આ રીતે ખેડૂતો જૈવિક જંતુનાશકોનો છંટકાવ, પાણીના નિકાલની વ્યવસ્થા બનાવીને અને પાણીનો યોગ્ય નિકાલ કરીને વધુ વરસાદની સ્થિતિમાં પાકને થતા નુકસાનને ટાળી શકે છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">