PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન

પીએમ કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. આ PM કિસાન માનધન યોજનામાં 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત ભાગ લઈ શકે છે. આ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે.

PM Kisan Mandhan Yojana: આ યોજનામાં નાની રકમ જમા કરી ખેડૂતો મેળવી શકે છે 3 હજારનું પેન્શન
PM kisan Scheme (File PIc)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:17 PM

PM Kisan Samman Nidhi Yojana સિવાય પણ કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)ના ફાયદા માટે અન્ય યોજના (Schemes) ચલાવે છે. આ રીતે એક યોજનાનું નામ છે પીએમ કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojana) પણ છે. જે ખેડૂતોની ભવિષ્યને (Farmer’s Future) સુરક્ષિત બનાવાના હેતુથી બનાવામાં આવી છે.

PM Kisan Maandhan Yojana હેઠળ, ખેડૂતો દર મહિને થોડુ રોકાણ કરી નિવૃત્તિ પછી માસિક પેન્શનનો લાભ મેળવી શકે છે. પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન મળે છે. પીએમ કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. આ PM કિસાન માનધન યોજનામાં 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત ભાગ લઈ શકે છે. આ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે.

દર મહિને 3000 રૂપિયા પેન્શન

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પીએમ કિસાન માનધન યોજના હેઠળ ઉંમરના હિસાબે માસિક યોગદાન આપ્યા પછી, 60 વર્ષની ઉંમર પછી, તમને 3000 રૂપિયા માસિક અથવા 36000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે. આ માટે દર મહિને રૂ.55 થી રૂ.200 ની રકમ આપવાની રહે છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ ખેડૂતો આ યોજનામાં જોડાયા છે.

જાણો શું છે આ સ્કીમ

પીએમ કિસાન માનધન યોજનામાં, 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂતો પેન્શન યોજનામાં ભાગ લઈ શકે છે. જેમની પાસે ખેતી માટે વધુમાં વધુ બે હેક્ટર જમીન છે. તેઓએ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે માસિક રૂ. 55નું યોગદાન આપવું પડશે. આ યોજના હેઠળ ખેડૂતનું યોગદાન સરકાર દ્વારા કરવામાં આવેલા યોગદાન જેટલું હશે.

જો યોજના બંધ કરવી હોય તો ?

જો કોઈ ખેડૂત આ પીએમ કિસાન માનધન યોજનાને અધવચ્ચે છોડી દેવા માંગે છે તો તેના પૈસા વ્યર્થ નહીં જાય. તે સ્કીમ છોડશે ત્યાં સુધીમાં એકઠા થયેલા પૈસા પર. તેમને બેંકોના બચત ખાતા જેટલું વ્યાજ મળશે. જો પોલિસી ધારક મૃત્યુ પામે છે, તો તેની પત્નીને 50 ટકા મળવાનું ચાલુ રહેશે.

જો PM કિસાન ખાતામાં તમારું યોગદાન 55 રૂપિયા છે, તો સરકાર પણ તમારા ખાતામાં 55 રૂપિયાનું યોગદાન આપશે. ઉદાહરણ તરીકે જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન રૂ 55 અથવા વાર્ષિક યોગદાન રૂ 660 હશે. બીજી તરફ, જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા અથવા વાર્ષિક 2400 રૂપિયાનું યોગદાન આપવું પડશે. ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજનામાં ખેડૂતોના આકસ્મિક મૃત્યુ પર પણ નાણાંનો લાભ મળશે.

જરૂરી આધાર પુરાવા

પીએમ કિસાન માનધન યોજના માટે, ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લેવી પડશે. અને તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. આ સાથે ખેડૂતના પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને બેંક પાસબુક પણ જોડવાની રહેશે. નોંધણી દરમિયાન, ખેડૂતનો પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ જનરેટ કરવામાં આવશે, આ માટે કોઈ અલગ ફી નથી.

આ પણ વાંચો: Lemongrass Cultivation: લેમન ગ્રાસની ખેતી ખરાબાની જમીનમાં પણ કરી શકાય, પાણીની અછત ધરાવતા વિસ્તાર માટે ઉત્તમ પાક

આ પણ વાંચો: ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">