AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા ચાર વર્ષમાં કૃષિ વિકાસ દરમાં થયો સૌથી મોટો ઘટાડો, જાણો શું છે કારણ

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. આ વર્ષના વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ચોમાસુ હોવાનું કહેવાય છે. ચોમાસાની સ્થિતિને કારણે પાકનું વાવેતર અને સિંચાઈને ઘણી અસર થઈ છે.

છેલ્લા ચાર વર્ષમાં કૃષિ વિકાસ દરમાં થયો સૌથી મોટો ઘટાડો, જાણો શું છે કારણ
Agriculture
| Updated on: Dec 04, 2023 | 1:41 PM
Share

ભારત કૃષિપ્રધાન દેશ છે અને મોટા પાયા પર ખેતી કરવામાં આવે છે. ભારતના GDP માં કૃષિ ક્ષેત્રનું યોગદાન 20 ટકા જેટલું છે અને અંદાજે કુલ વસ્તીના 40 ટકા લોકો વસ્તી ખેતી સાથે જોડાયેલા છે. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ક્ષેત્રના વિકાસ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસને લગતા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ બીજા ક્વાર્ટરમાં કૃષિ વૃદ્ધિનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. આ વર્ષના વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ચોમાસુ હોવાનું કહેવાય છે. ચોમાસાની સ્થિતિને કારણે પાકનું વાવેતર અને સિંચાઈને ઘણી અસર થઈ છે. ખરીફ પાકની વાવેતર સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થાય છે, પરંતુ 2023માં ચોમાસામાં વિલંબ થવાને કારણે કૃષિ ક્ષેત્રમાં નુકસાન થયું છે.

ખરીફ સિઝનની ઉપજને અસર થઈ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મૂજબ ઓછા વરસાદને કારણે ઓક્ટોબર 2023-24ની ખરીફ સિઝનની ઉપજને અસર થઈ છે. સાથે જ કેન્દ્ર સરકાર પણ ચોમાસાના કારણે થયેલા નુકસાનને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે.

કૃષિ ક્ષેત્રનો વિકાસ દરના આંકડા

  • વર્ષ 2015-16 : કૃષિ વિકાસ દર 0.6 ટકા
  • વર્ષ 2016-17 : કૃષિ વિકાસ દર 6.8 ટકા
  • વર્ષ 2017-18 : કૃષિ વિકાસ દર 6.6 ટકા
  • વર્ષ 2018-19 : કૃષિ વિકાસ દર 2.1 ટકા
  • વર્ષ 2019-20 : કૃષિ વિકાસ દર 5.5 ટકા
  • વર્ષ 2020-21 : કૃષિ વિકાસ દર 3.3 ટકા
  • વર્ષ 2021-22 : કૃષિ વિકાસ દર 3.0 ટકા

આ પણ વાંચો : નવસારી વીડિયો : ખેડૂતોને સતાવી રહી છે શ્રમજીવીઓની અછતની ચિંતા, ખેતીવાડી અને ઉદ્યોગો પર જોવા મળી અસર

કોવિડ મહામારી દરમિયાન એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP 23.9 ટકા ઘટ્યો હતો, ત્યારે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.4 ટકા હતો. કોરોના સમયગાળા દરમિયાન કૃષિ સિવાયના અન્ય તમામ ક્ષેત્રોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ 3 વર્ષ પછી આ સ્થિતિ બદલાઈ છે અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ જોવા મળી રહ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં ઘટાડો આવ્યો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">