AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે મોંઘા ભાવે એલચી ખરીદી રહ્યા છો? તો ઘર આંગણે જ ઉગાડો એલચીનો છોડ

તમે તમારા ઘરમાં જ એલચીનો છોડ લગાવી શકો છો. એલચી હેલ્થ માટે પણ સારી માનવામાં આવે છે. સારી રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરને રોગોથી બચાવે છે. એલચીમાં ઘણા એવા જરૂરી ઘટકો સમાયેલા છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. તે ખેતીની દૃષ્ટિએ ખૂબ નફાકારક પણ છે કેમ કે તે ખૂબ જ મોંઘી મળે છે. એલચીની ખેતી પણ ઘણા ખેડૂતોએ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ખેડૂત ભાઈઓને સારો નફો મળે છે.

શું તમે મોંઘા ભાવે એલચી ખરીદી રહ્યા છો? તો ઘર આંગણે જ ઉગાડો એલચીનો છોડ
cardamom
| Updated on: Nov 02, 2023 | 10:25 AM
Share

Cardamom Farming : એલચીને ફાયદાકારક તેમજ સુગંધિત મસાલામાં ગણતરી કરવામાં છે. આ ઉપરાંત તે ખેતીની દૃષ્ટિએ ખૂબ નફાકારક પણ છે કેમ કે તે ખૂબ જ મોંઘી મળે છે. એલચીની ખેતી પણ ઘણા ખેડૂતોએ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ખેડૂત ભાઈઓને સારો નફો મળે છે. એલચી પણ બજારમાં ખૂબ ઉંચા ભાવે વેચાય છે. પરંતુ અમે તમને જણાવીશું કે તમે તેને તમારા ઘરમાં કેવી રીતે ઉગાડી શકો છો અને મોંઘી એલચી માટે હજારો રૂપિયા બચાવી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે ઘરમાં એલચીની ખેતી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ બાબતો છે જરૂરી

  • ફુલદાની
  • માટી
  • બીજ
  • ખાતર
  • પાણી

ઘરે છોડ કેવી રીતે વાવવો

ઘરમાં એલચીનો છોડ લગાવવા માટે સૌથી પહેલા એક વાસણ લો અથવા તમે તેને કોઈ પણ કન્ટેનરમાં પણ મુકી શકો છો. કન્ટેનરમાં છોડ રોપ્યા પછી, તેમને 50 ટકા કોકો પીટ માટી અને 50 ટકા વર્મી કમ્પોસ્ટ માટી સાથે પોટ તૈયાર કરો. આ પછી બીજને પોટમાં મૂકો અને તેમાં પાણી છાંટો. તેને ઉમેરતી વખતે યોગ્ય માત્રા ધ્યાનમાં રાખો. થોડા દિવસો પછી એલચીનો છોડ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

તમારે એલચીના છોડને નિયમિત પાણી આપતા રહેવું જોઈએ. ખાસ ધ્યાન રાખો કે વધારે પાણી આપવાથી તેના મૂળ સડી શકે છે અથવા ફુગાઈ શકે છે. તેથી જમીનને ભેજવાળી રાખવા પૂરતું જ પાણી આપો. એલચીના છોડને ઉગાડવા માટે સારો સૂર્યપ્રકાશની હાજરી હોવી જરૂરી છે. પરંતુ કાળજી રાખો કે છોડ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે. એલચીના છોડ માટે યોગ્ય તાપમાન 20 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવું જોઈએ છે. આ તાપમાન એલચીના બીજના અંકુરણ માટે સારું માનવામાં આવે છે. જેના કારણે વાવણી કરવાનો શ્રેષ્ઠ સમય ઉનાળો છે.

એલચીના ફાયદા

  • સારી રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરને રોગોથી બચાવે છે. એલચીમાં ઘણા એવા જરૂરી ઘટકો સમાયેલા છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
  • સ્વસ્થ પાચન આપણા એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે. તે નિર્ધારિત કરે છે કે આપણું શરીર પોષક તત્વોને કેટલી અસરકારક રીતે શોષી લે છે અને આ સિસ્ટમને ટેકો આપવામાં એલચી મોટી ભૂમિકા ભજવે છે.
  • હૃદયને સ્વસ્થ રાખવામાં બ્લડ પ્રેશર એક મોટો ભાગ ભજવે છે. તમારા બ્લડ પ્રેશરને હેલ્ધી અને નોર્મલ રાખવામ માટે એલચી મોટી ભૂમિકા ભજવી શકે છે.
  • હ્રદયરોગ અને કેન્સર સહિત અનેક રોગોમાં સોજા આવે છે. એલચીમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા હોય છે. જે સોજાના જોખમને ઘટાડવા માટે એક શક્તિશાળી સુપરફૂડ સાબિત થાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">