AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોની આવક વધારવા માટે આ બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, સરકાર પ્રોત્સાહન આપવા પર કરી રહી છે વિચાર

સરકારે ફૂડ પ્રોસેસિંગ માટે 10,900 કરોડના પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI)ની જાહેરાત કરી દીધી છે. આ સિવાય આ વિસ્તારમાં સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે એક અલગ PLI સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ખેડૂતોની આવક વધારવા માટે આ બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, સરકાર પ્રોત્સાહન આપવા પર કરી રહી છે વિચાર
Farmer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:58 AM
Share

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022) માં ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોને બદલાતા બજાર પ્રમાણે તૈયાર કરવામાં આવે, જેથી તેમને વધુમાં વધુ લાભ મળી શકે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ (Agriculture Budget 2022) રજૂ કરશે. આ દરમિયાન મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ બજેટ 2022માં રોકાણની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સાથે આ કામ માટે ખેડૂતોને પ્રોત્સાહક નાણા આપવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ સમગ્ર વિચાર મૂલ્યવૃદ્ધિ અને બેકવર્ડ લિન્કેજને પ્રોત્સાહન આપવા માટે રોકાણને સમર્થન આપવાનો છે. આમાં દેશના ખેડૂતોને નિકાસમાં મદદ કરવા માટે બજારો સ્થાપવા માટેનો ટેકો પણ સામેલ હશે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપેક્ષિત

આ ઉપરાંત, સરકાર અન્ય તમામ કૃષિ ઉત્પાદનોની નિકાસમાં મદદ કરવા માટે પરિવહન, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે પ્રોત્સાહનો પણ જાહેર કરી શકે છે. ગયા વર્ષે જ સહકારી ક્ષેત્ર માટે નવા મંત્રાલયની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં તેને મજબૂત કરવાની જાહેરાત પણ શક્ય છે.

સરકારે ફૂડ પ્રોસેસિંગ માટે 10,900 કરોડના પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI)ની જાહેરાત કરી દીધી છે. આ સિવાય આ વિસ્તારમાં સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે એક અલગ PLI સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં એકલા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો 11.38 ટકા છે. નવી જાહેરાતો સાથે સરકાર તેને વધુ વધારવાની યોજના બનાવી રહી છે.

એક પાક પર આવકની નિર્ભરતા ઘટાડવી પડશે

ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે (Aditi Nair, Chief Economist, ICRA)અખબારને જણાવ્યું હતું કે જો આપણે ચોખાની નિકાસ પરની આપણી નિર્ભરતા ઘટાડીએ, તો મૂલ્યવર્ધન અને કૃષિ ઉત્પાદનોની નિકાસ વધુ ટકાઉ નિકાસ વૃદ્ધિ હાંસલ કરવામાં ઘણો આગળ વધી શકે છે.

નિષ્ણાતો કહે છે કે ખેડૂતોની આવક વધારવા માટે એક પાક પરની આવકની નિર્ભરતા ઘટાડવી પડશે. આ માટે ખેડૂતોને લોન અને સહાય યોજના આપવી જરૂરી છે. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હવે દરેક કૃષિ ઉત્પાદન માટે પ્રાદેશિકને બદલે વૈશ્વિક માંગ અને બજારને જોઈને નીતિઓ બનાવવી જોઈએ. સાથે જ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને પણ રિટેલ માર્કેટ સાથે જોડવી જોઈએ. આ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજ સહિત લોજિસ્ટિક્સમાં ઝડપી રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ.

આ પણ વાંચો: Technology News: Aadhar નો બાયોમેટ્રિક ડેટા કેવી રીતે કરવો લોક, જાણો શું છે તેની ઓનલાઈન પ્રોસેસ

આ પણ વાંચો: મુંબઈમાં 1500 રૂપિયામાં કોરોના વેક્સિનેશનના ફેક સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">