AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Live Stock Mission: રાષ્ટ્રીય પશુધન મિશન પોર્ટલ શરૂ થયું, આ રીતે ખેડૂતોને મળશે લાભ

NLM Portal : રાષ્ટ્રીય પશુધન મિશન કૃષિ મંત્રાલયની એક પહેલ છે, જે 2014-15માં રજૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ પશુધન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે.

National Live Stock Mission: રાષ્ટ્રીય પશુધન મિશન પોર્ટલ શરૂ થયું, આ રીતે ખેડૂતોને મળશે લાભ
National Livestock Mission Portal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:35 PM
Share

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાષ્ટ્રીય પશુધન મિશન (National Live Stock Mission-NLM) માટે પોર્ટલ શરૂ કર્યું છે. તેના દ્વારા યોજનાઓને પ્રોત્સાહન આપવા અને પ્રક્રિયા પારદર્શક બનાવવા પર ભાર મુકવામાં આવશે.

NLM પોર્ટલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મનો હેતુ રાજ્ય અમલીકરણ એજન્સી (SIA), ધિરાણકર્તા અને મંત્રાલય વચ્ચે જરૂરિયાત આધારિત કાર્ય પ્રવાહ જાળવવાનો છે.

રાષ્ટ્રીય પશુધન મિશન શું છે ?

NLM કૃષિ મંત્રાલયની એક પહેલ છે, જે 2014-15માં રજૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ પશુધન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. દેશમાં, આ ક્ષેત્રે 2014-15 થી 2019-20 વચ્ચે 8.15 ટકાની સીએજીઆર (CAGR) પર વૃદ્ધિ નોંધાવી છે.

સ્પેશિયલ લાઈવસ્ટોક પેકેજ

મંત્રાલયના રાજ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આગામી પાંચ વર્ષ માટે જુલાઈ 2021 માં સરકાર દ્વારા પ્રસ્તુત ખાસ પેકેજ વિશે પણ માહિતી આપી હતી. આ 9,800 કરોડ રૂપિયાનું પેકેજ હશે, જેમાં કુલ 54,618 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. વિશેષ પેકેજમાં પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના તમામ પાસાઓને એક જ જગ્યાએ લાવવામાં આવ્યા છે. તમામ યોજનાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. વિકાસ યોજના, રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ.

ગ્રામીણ સાહસિકતા વધારવા પર ભાર

NLM ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિકતા વધારવામાં મદદ કરશે. તેમજ આ પેકેજથી બેરોજગાર યુવાનોને પશુ, ડેરી, મરઘાં, ઘેટાં, બકરી, ડુક્કર, ફીડ અને ઘાસચારો ક્ષેત્રોમાં આજીવિકાની તકો મળશે.

પોર્ટલ પર આ સુવિધાઓ આપવામાં આવી રહી છે

પશુપાલનના ક્ષેત્રમાં આ પ્રકારના પોર્ટલની જરૂર હતી. તેની સૌથી મહત્વની બાબત એ છે કે, પશુપાલન સંબંધિત તમામ પ્રકારની માહિતી અને સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અહીં આવી કેટલીક સુવિધા વિશે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

* પશુપાલન સંબંધિત યોજનાઓ વિશે સમય સમય પર માહિતી * સબસીડી માટે અરજી કરવાની સુવિધા * પશુપાલન ઉદ્યોગ શરૂ કરવા માટે લોન સુવિધા * ધિરાણ આપતી બેંકોની વિગતો

આ ઉપરાંત ખેડૂતો અને પશુપાલકો National Live Stock Mission પોર્ટલની આ લીંક દ્વારા વધારાની માહિતી મેળવી શકે છે.

આ પણ વાંચો : ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 416 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સનો શુભારંભ, 8 રાજ્યોના ખેડૂતોને મળશે લાભ

આ પણ વાંચો : Gopal Ratna Award : પશુપાલકોને મળી શકે છે 2 થી 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, આ રીતે કરો અરજી

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">