Agriculture Drone: આગામી ખરીફ સિઝનથી ખેતરોમાં ડ્રોન દ્વારા ખાતર છાંટવાની તૈયારીઓ શરૂ, ખેડૂતોને મળશે તેનો લાભ

કૃષિમાં ડ્રોનના (Drone) ઉપયોગના ઘણા ફાયદા છે. તેનો ઉપયોગ સુનિશ્ચિત કરશે કે ડાંગર, મરચાં, કપાસ, મગફળી અને અન્ય પાકો પર પૂરતા પ્રમાણમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછા સમયમાં છંટકાવ કરી શકાય છે.

Agriculture Drone: આગામી ખરીફ સિઝનથી ખેતરોમાં ડ્રોન દ્વારા ખાતર છાંટવાની તૈયારીઓ શરૂ, ખેડૂતોને મળશે તેનો લાભ
Agriculture Drone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 12:47 PM

કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે કામ કરી રહી છે. આ અંતર્ગત આંધ્ર પ્રદેશ સરકાર હવે ખેતરોમાં ખાતર છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજીનો (Agriculture Drone) ઉપયોગ કરવાની યોજના પર કામ કરી રહી છે. સરકારના આ પગલાથી પાકનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને (Farmers) ખાતરનો છંટકાવ કરતી વખતે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો સામનો નહીં કરવો પડે તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે આંધ્ર પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જેણે ખેતી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં સૌથી વધુ ખર્ચ કર્યો છે અને અહીંની કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાકીના રાજ્યો કરતાં ઘણી સારી છે.

કૃષિમાં ડ્રોનના ઉપયોગના ઘણા ફાયદા છે. તેનો ઉપયોગ સુનિશ્ચિત કરશે કે ડાંગર, મરચાં, કપાસ, મગફળી અને અન્ય પાકો પર પૂરતા પ્રમાણમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછા સમયમાં છંટકાવ કરી શકાય છે. કૃષિ અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આગામી ખરીફ સિઝનથી જ ખેતીમાં ટેક્નોલોજી દાખલ કરવાની યોજના શરૂ કરી છે. યોજના તૈયાર થયા બાદ તેને રાજ્યમાં લાગુ કરવામાં આવશે, તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થવાની આશા છે.

ખેડૂતો ડ્રોન ભાડે લઈ શકશે

ડ્રોન વડે છંટકાવ કરવાની યોજના હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓને ડ્રોન આપવામાં આવશે. રાયલસીમાને સૌથી વધુ 500 ડ્રોન મળવાની સંભાવના છે, જેમાંથી 120 ચિત્તૂર માટે, 100 કડપા માટે, 100 અનંતપુર માટે, 50-60 નંદ્યાલ માટે, 70 કુર્નૂલ માટે અને બાકીના રાયચોટી, પુટ્ટપર્થી અને શ્રી બાલાજી માટે હશે. ખેડૂતો ડ્રોન રાયથુ કેન્દ્રો પાસેથી ભાડે લેવામાં સક્ષમ હશે અને અધિકૃત ડ્રોન પાઇલોટ્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. વધુને વધુ લોકોને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડ્રોનનો ઉપયોગ ખેડૂતો માટે ફાયદાકારક

કુર્નૂલ એગ્રીકલ્ચરના જોઈન્ટ ડાયરેક્ટર પીએલ વરલક્ષ્મીએ જણાવ્યું હતું કે સરકાર કૃષિ ક્ષેત્રે ડ્રોન સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓ ડ્રોન એપ્લિકેશન માટે માર્ગદર્શિકા અને પ્રમાણભૂત ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે. જંતુનાશક અને ખાતર વિતરક કે કૃષ્ણાએ જણાવ્યું હતું કે જો ટેક્નોલોજી અસરકારક રીતે લાગુ કરવામાં આવે તો ડ્રોન ખેડૂતોને ઉચ્ચ પાકની ઉપજ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">