AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ વિભાગની સલાહ, ખેડૂતો ચણાના વાવેતરમાં રાખો આ કાળજી

ખરીફ સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદને કારણે કૃષિ વિભાગે ખેડૂતોને રવિ સિઝનમાં ચણા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. તેથી ચણાના વાવેતર વિસ્તારમાં વધારો થવાની ધારણા હતી, પરંતુ ઘણા વિસ્તારમાં અન્ય પાકની વાવણીની વચ્ચે જ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે.

કૃષિ વિભાગની સલાહ, ખેડૂતો ચણાના વાવેતરમાં રાખો આ કાળજી
Farmer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 7:53 PM
Share

ઉત્પાદનની દૃષ્ટિએ મહત્ત્વની ગણાતી ખરીફ સિઝન આ વર્ષે વાવણીથી લઈને કાપણી સુધી પૂરજોશમાં હતી. કૃષિ વિભાગ (Department of Agriculture) દ્વારા એવી સલાહ આપવામાં આવી હતી કે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રવિ પાકનું યોગ્ય આયોજન કરવાની જરૂર છે. ખેડૂતોને સમયાંતરે માત્ર ચણાની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો.

વચ્ચે-વચ્ચે પડેલા વરસાદને કારણે રવિ વાવણીમાં વિલંબ થયો હતો, પરંતુ વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે આ સમયે રવિ સિઝનના વાવેતરમાં મુશ્કેલીઓ આવી રહી છે. તેનાથી ઉભા પાકને અસર થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.53 લાખ પૈકી ચણાનું વાવેતર સૌથી વધુ 1,23,800 હેક્ટરમાં થયું છે.

ખેડૂતોએ ચણાની વાવણી પર ધ્યાન આપવું જોઈએ

ખરીફ સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદને કારણે કૃષિ વિભાગે ખેડૂતોને રવિ સિઝનમાં ચણા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. તેથી ચણાના વાવેતર વિસ્તારમાં વધારો થવાની ધારણા હતી, પરંતુ ઘણા વિસ્તારમાં અન્ય પાકની વાવણીની વચ્ચે જ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે, જેથી વાવણીવાળા વિસ્તારમાં ફરી વાવણીની સ્થિતિ સર્જાઈ છે.

કેટલું વાવેતર થયું ?

ગુજરાત (Gujarat)માં અંદાજે 5,53,943 હેક્ટરમાં વિવિધ કૃષિ પાકોનું વાવેતર થયું છે. તેમાં સૌરાષ્ટ્રમાં અંદાજે 88 હજાર હેક્ટરમાં ચણા અને 49 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. રાજ્યમાં ગત ત્રણ વર્ષમાં સરેરાશ 34.38 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ચણાના વાવેતરમાં રાખો આ કાળજી

ચણા (Chickpea)એ મહત્વનો રવિ પાક છે. આ વર્ષે પૌષ્ટિક વાતાવરણને કારણે ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે. કૃષિ વિભાગ પણ તેને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેથી ખેડૂતો 10 ડિસેમ્બર સુધી ચણાની વાવણી કરી શકશે. કૃષિ વિભાગ દ્વારા વાવણી માટે વિજય, વિશાલ, ફુલે એ ભલામણ કરેલ જાતો છે.

વાવણી કરતી વખતે બે હરોળ વચ્ચેનું અંતર 30 સેમી અને બે રોપા વચ્ચેનું અંતર 10 સેમી હોવું જોઈએ. વાવણી પહેલા બીજ માવજત કરવાથી જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે. વાવણીના 30 દિવસ પછી પ્રથમ પિયત આપવું જોઈએ.

આ પણ વાંચો: હર્બલ ખેતીના હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે આ જિલ્લો, વિદેશીઓ પણ તેમની પ્રોડક્ટના બન્યા દિવાના

આ પણ વાંચો: 1 કિમીની રેન્જ સુધી કામ કરશે આ વાઈ-ફાઈ, કૃષિથી લઈ ટ્રાફિક સિગ્નલમાં પણ થશે ઉપયોગી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">