Crime: વિધર્મી પ્રેમી સાથે ભાગેલી યુવતીનું ઘર્મ પરીવર્તન કરી અન્ય સાથે પરણાવી, 3 આરોપીઓની ધરપકડ
21 વર્ષની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.
Crime: ધર્મ પરીવર્તન કરી વિધર્મી યુવકે 21 વર્ષની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના કૌશાંબીના પોલીસ અધિક્ષક રાધેશ્યામ વિશ્વકર્માએ મંગળવારે જણાવ્યું હતું કે, જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 21 વર્ષની યુવતી તેના લગ્નના એક દિવસ પહેલા તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પહેલા તેના ભાઈ વિનોદ મૌર્યએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો અને કેસની તપાસ જિલ્લાના SOG પ્રભારી સંજય ગુપ્તાને સોંપવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસે મંગળવારે આ બાબતનો ખુલાસો કર્યો છે. વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ કેસમાં ત્રણ આરોપીઓ મોહમ્મદ અહસાન ઉર્ફે હસન અને મુસ્તફા અને અતીકની ઉત્તર પ્રદેશના કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિબંધક અધિનિયમ, 2021 સહિતની કલમો હેઠળ કેસ નોંધાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એસઓજીના પ્રભારી સંજય ગુપ્તાએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે, કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભાગી ગયેલી યુવતી પોતાના ગામના રહેવાસી મોહમ્મદ અહસાન ઉર્ફે હસન સાથે પોતાની મરજીથી ગઈ હતી. હસન યુવતીને તેના મામા અતીક પાસે લઈ ગયો હતો, જે કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુરતગંજ બજારમાં રહે છે.
લગભગ છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. તેણે કહ્યું કે હસનના મોટા ભાઈ મુસ્તફાએ કથિત રીતે તેના ભાઈ હસન સાથે લગ્ન કરવાનું વચન આપીને છોકરીનું ધર્મ પરિવર્તન કરાવ્યું. અધિકારીએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ, મુસ્તફાએ જાન્યુઆરી 2021 માં છોકરીના લગ્ન પ્રતાપગઢ જિલ્લાના પૂરે ધનેરૂ નિવાસી ગુલામ ગૌસ (25) સાથે કરી દીધા હતા.
ગુલામ ગૌસ પાસેથી છ નકલી ઓળખ કાર્ડ મળ્યા એસઓજીના પ્રભારીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે મસાલા વેચતા ગુલામ ગૌસને કડા ધામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાલીયા ચોકડી પરથી પકડાયો હતો. તેની પૂછપરછ કર્યા બાદ પોલીસે તે યુવતીને પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોસીયાણા ગામમાં આવેલા ગુલામ ગૌસના ભાડાના મકાનમાંથી પણ મળી આવી હતી.
તેમણે કહ્યું કે ગુલામ ગૌસ અગાઉ હિન્દુ હતો અને તેમનું નામ રતિભાન પાસી હતું. ગુલામ ગૌસે જણાવ્યું કે તેણે 2014 માં સ્વેચ્છાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ગુલામ ગૌસ પાસેથી છ નકલી ઓળખ કાર્ડ મળી આવ્યા છે.
આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં આ વરસે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય : સૂત્ર
આ પણ વાંચો: અખંડ સૌભાગ્યના આશિષ પ્રદાન કરશે કેવડા ત્રીજનું વ્રત, જાણો વ્રતનો મહિમા અને સંપૂર્ણ વિધિ