AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા “સાયબર સંજીવની”ની પહેલ

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે.

Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા સાયબર સંજીવનીની પહેલ
surat police
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:43 PM
Share

આજના આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, તેથી નાગરીકોને સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતેજ સ્પર્ધા દ્વારા જાગૃત થાય તે માટે સુરત પોલીસે “સાયબર સંજીવની “(Cyber Sanjeevani)ની પહેલ શરૂ કરી છે.

ભારતભરમાં દિનપ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને ફ્રોડ કરનાર વ્યક્તિઓ અવનવી એપોથી સાયબર ફ્રોડ કરતા હોય છે, તેવામાં લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે અને લોકો સાયબર ફ્રોડથી બચી શકે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન શરૂ કર્યું છે.

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે અને સાયબર સંજીવનીનો ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી સુરત શહેર પોલીસ (Surat police) “સાયબર સેફ સુરત” બનાવવાનું નક્કી કર્યુ છે.

લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડસ ઓપરેન્ડી વિશે માહિતગાર કરવામાં આવશે, સાથે લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. ડીજીટલ ઈન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા સુરત પોલીસ મદદ કરશે.

વધુમાં સુરત પોલીસ દ્વારા વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો સામે આવે અને ફરિયાદ નોંધાવે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એક PSI અને ત્રણ માણસોને સાયબરને લગતી સ્થાનિક લેવલે ટ્રેનિંગ આપવામાં આવી અને જેથી પોલીસ સ્ટેશન લેવેલે નાની મેટરોનો નિકાલ કરવા આવે.

સુરત પોલીસે અત્યાર સુધી કેટલા ગુનાઓ નોંધ્યા અને કેટલા ગુના ઉકેલાયા તેની આ વિગત જાણો

સુરત શહેરમાં સાયબર ક્રાઈમના 203 કેસ નોંધાયા હતા. જે પૈકી 70 ગુના ડિટેકટ થયા હતા. જેમાં 1,34,17,380 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :Surat : શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ

આ પણ વાંચો : લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">