AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત

શ્રીગ્લાસના સંચાલક નિખિલ પર એક વર્ષ અગાઉ પણ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો અને દુકાનમાં ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો.

SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત
SURAT : Firing on trader in Bardoli, death of trader during treatment at Sardar Hospital
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:28 AM
Share

SURAT : સુરત જિલ્લા ના બારડોલી માં સાંજ ના સમય એ ફાયરિંગ ની ઘટના બની હતી. બારડોલી નાડીદા નજીક શ્રીગ્લાસના સંચાલક એવા નિખિલ નામના વેપારી પર ફાયરિંગ થયું હતું. વેપારીને ગંભીર હાલતમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત જિલ્લામાં ભલે પોલીસ સબસાલામતની વાત કરતી હોય પરંતુ ગુનેગારો બેફામ બની રહ્યા છે અને વધુ એક પુરાવો આજે સામે આવ્યો હતો. બારડોલીના નાડીદા ચાર રસ્તા નજીક હનુમાન ગલીમાં રહેતા શ્રીરામ ગ્લાસ દુકાન ચલાવતા નિખિલ પ્રજાપતિ ભોગ બન્યા હતા. જ્યાં સાંજના સમયે દુકાનના સંચાલક બહાર નીકળતા હતા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો એ નિખિલ પ્રજાપતિ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ભાગી છૂટ્યા હતા. જોકે ગોળી નિખિલને છાતીના ભાગે વાગતા ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દોડી આવતા ઇજાગ્રસ્ત નિખિલ ને તાત્કાલિક બારડોલી ની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિખિલ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવતા બારડોલી પોલીસ પણ દોડતી થઈ હતી અને બારડોલી પોલીસ સાથે જિલ્લા એલસીબી પણ ઘટના સ્થળે પોહચી અને તપાસ શરૂ કરી હતી. હત્યા તેમજ આર્મ્સ એકટ હેઠળ બારડોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. શ્રીગ્લાસના સંચાલક નિખિલ પર એક વર્ષ અગાઉ પણ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો અને દુકાનમાં ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો. જેથી ધંધાકીય અથવા જૂની અદાવત માજ આ વખતે પણ ફાયરીંગ કરાયાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : AHMEDABAD : બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા વ્હારે, ઓક્સિજન ટેન્ક માટે 1 કરોડનું દાન આપવાનો નિર્ણય

આ પણ વાંચો : AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">