AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB Scam: બેંક ફ્રોડ કૌભાંડમાં CBIને મોટી સફળતા, નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કાહિરાથી મુંબઈ લવાયો

સીબીઆઈને 13,578 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંબંધમાં મોટી સફળતા મળી છે, સીબીઆઈ નીરવ મોદીના (Nirav Modi) નજીકના સહયોગી સુભાષ શંકરને મિસ્ર ( ઈજિપ્ત) ના કાહિરા (કૈરો) શહેરમાંથી મુંબઈ લાવી છે.

PNB Scam: બેંક ફ્રોડ કૌભાંડમાં CBIને મોટી સફળતા, નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કાહિરાથી મુંબઈ લવાયો
Nirav Modi ( file photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:02 AM
Share

પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સાથે થયેલા 13,578 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે CBIને આજે મોટી સફળતા મળી છે, જ્યાં તેણે નીરવ મોદીના (Nirav Modi) નજીકના સાથીદાર સુભાષ શંકરની (Subhash Shankar) મિસ્ર ( ઈજિપ્ત) ના કાહિરા (કૈરો) શહેરમાંથી ધરપકડ કરીને મુંબઈ લાવી છે. CBI સૂત્રોએ આ માહિતી આપી છે. સીબીઆઈ લાંબા સમયથી બેંક ફ્રોડ કેસ પર કામ કરી રહી છે અને સુભાષ શંકરને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 2018 માં, ઇન્ટરપોલે $2 બિલિયન PNB કૌભાંડની તપાસ CBIની વિનંતી પર નીરવ, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલા મુંબઈની વિશેષ અદાલતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરંટના આધારે રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરી હતી. ભાગેડુ સામે જાહેર કરાયેલ તેની રેડ કોર્નર નોટિસમાં, ઈન્ટરપોલે તેના 192 સભ્ય દેશોને, રેડ કોર્નર નોટિસવાળી વ્યક્તિની ધરપકડ કરવા અથવા અટકાયત કરવા કહ્યું હતું, જેના પછી પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

સુભાષ શંકર ઘણા સમયથી ફરાર હતો

સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે સુભાષ ફાયરસ્ટાર ડાયમંડમાં ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) હતા. તેઓએ જણાવ્યું હતું કે સુભાષ પરબ, જે કૈરોમાં કથિત રીતે છુપાયેલો હતો, તે પીએનબી કૌંભાડ જાહેર થયા બાદ ફરાર થઈ ગયો હતો. મંગળવારે વહેલી સવારે સુભાષને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

પૂછપરછ માટે કસ્ટડી માંગવામાં આવશે

સુભાષ કૈરોમાં છુપાયેલો હતો. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મળેલા ઈનપુટ્સના આધારે સીબીઆઈએ આ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું અને તેને પકડવામાં સફળતા મળી હતી. હવે તેને મુંબઈની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પૂછપરછ માટે તેની કસ્ટડી માંગવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈ સુભાષ શંકરની સાથે નીરવ મોદી, અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. નોંધનીય છે કે અગાઉ ડિસેમ્બર 2019માં હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

ભારતે અમેરિકાને રોકડું પરખાવ્યું, રશિયા પાસેથી ઈંધણ ખરીદવા મુદ્દે અમને નહી યુરોપના તમારા સાથીદારોને રોકો

આ પણ વાંચોઃ

Maharashtra: ભાજપ નેતા પ્રવીણ દરેકર પર પોલીસે કડક કાર્યવાહી કરી, મુંબઈ બેંક કૌભાંડ કેસમાં ફરી તપાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">