AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમારા ONLINE TRANSACTION ને મળશે વીમાનું કવચ , IRDAI એ CYBER INSURANCE સંબંધિત નવા નિયમો જારી કર્યા , જાણો વિગતવાર

IRDAI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર ફંડ ચોરી, ઓળખ ચોરી, અનધિકૃત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇમેઇલ સ્પૂફિંગ જેવી ઘટનાઓને વ્યક્તિગત સાયબર વીમામાં આવરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.

હવે તમારા ONLINE TRANSACTION ને મળશે વીમાનું કવચ , IRDAI એ CYBER INSURANCE સંબંધિત નવા નિયમો જારી કર્યા , જાણો વિગતવાર
your ONLINE TRANSACTION will get insurance cover
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:42 AM
Share

જેમ જેમ ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે તેમતેમ સાયબર ફ્રોડ(Cyber Fraud)ના કિસ્સાઓ પણ ઝડપી દરે સામે આવી રહ્યા છે. સાયબર ફ્રોડની પદ્ધતિ અને પ્રમાણ બંનેમાં ઘણો વધારો થયો છે. આવી સ્થિતિમાં જોખમ ઘટાડવા માટે વીમા નિયમનકાર IRDAI એ વીમા કંપનીઓને વ્યક્તિગત સાયબર વીમા(individual cyber insurance)નો વ્યાપ વધારવાનું કહ્યું છે. ઇરડાએ કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓએ તેમના ઉત્પાદનમાં શું સમાવવાનું છે.

IRDAI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર ફંડ ચોરી, ઓળખ ચોરી, અનધિકૃત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇમેઇલ સ્પૂફિંગ જેવી ઘટનાઓને વ્યક્તિગત સાયબર વીમામાં આવરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સી CERT-In (કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા) અનુસાર કોરોનાના સમયગાળા દરમિયાન વ્યક્તિગત નેટવર્ક પર વધુ સાયબર હુમલા થઇ રહ્યા છે. લોકો ઘરે કામ કરી રહ્યા છે તેથી સાયબર ફ્રોડ પર્સનલ કમ્પ્યુટર્સ અને નેટવર્કને નિશાન બનાવી રહી છે.

વ્યક્તિગત સાયબર વીમો હવે જરૂરી છે એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં બજાજ એલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ ટેક્નિકલ ઓફિસર ટી.એ.રામલિંગમે જણાવ્યું હતું કે સાઇબર વીમો હવે વ્યક્તિઓ માટે જરૂરી બની ગયો છે. IRDAI ના પરિપત્ર અનુસાર વ્યક્તિગત સાયબર વીમા માટે અમુક નિયમો હશે, જેમ કે ભંડોળની ચોરી, ઓળખની ચોરી, સોશિયલ મીડિયા ડેટાની ચોરી, સાયબર સ્ટોકીંગ અથવા બુલિંગ, માલવેર કવર, ફિશિંગ કવર, અન-અધિકૃત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇમેઇલ સ્પૂફિંગ, મીડિયા લાયેબીલીટી ક્લેમ, સાયબર એક્સટોર્શન, ડેટા બ્રીચીંગ અને ગોપનીયતા ભંગને આવરી લેવા માટે જરૂરી રહેશે.

નુકસાનના આધારે ચાર મુખ્ય શ્રેણીઓ IRDAI ના પરિપત્રમાં સાયબર વીમા પ્રત્યે વ્યક્તિઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે કંપની ક્યારે દાવાને નકારી શકે છે. નાણાકીય નુકસાનના કિસ્સામાં શું નિયમ રહેશે. આ સિવાય, સાયબર છેતરપિંડી દ્વારા થયેલા નુકસાનને ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. દરેક કેટેગરી માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે?

આ પણ વાંચો : સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">