મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, કોર્ટ 19 નવેમ્બર સુધી દેશમુખની કસ્ટડી વધારી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDએ તેમને PMLA હેઠળની વિશેષ અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી વધુ 13 દિવસ માટે લંબાવી છે.

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, કોર્ટ 19 નવેમ્બર સુધી દેશમુખની કસ્ટડી વધારી
Anil Deshmukh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 4:33 PM

Money Laundering Case : મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. દેશમુખને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી દેશમુખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Custody) કસ્ટડીમાં હતા. 6 નવેમ્બરના રોજ તેની ED કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. જેથી EDએ તેને PMLA કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી (Custody) વધુ 13 દિવસ માટે લંબાવી છે.

વિશેષ કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવે તે પહેલાં અનિલ દેશમુખને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં (J.J Hospital) મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. અનિલ દેશમુખ સંબંધિત કેસની સુનાવણી બપોરે 12.30 વાગ્યે શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખ સોમવારે EDની ઓફિસમાં હાજર થયા હતા. જેમાં 12 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મુંબઈની વિશેષ અદાલતે તેને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો હતો.

સમન્સ મોકલવા છતા અનિલ દેશમુખનો પુત્ર હાજર ન થયો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને સમન્સ મોકલીને ગુરુવારે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો હતો. છતા પણ ઋષિકેશ ED સમક્ષ હાજર થયો નહોતો. આજે તે ધરપકડ પૂર્વ જામીન માટે સેશન્સ કોર્ટમાં (Sessions Court) પહોંચ્યો હતો. આ અંગે 12 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

અનિલ દેશમુખનો પુત્ર ઋષિકેશ દેશમુખ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં પહોંચ્યો

EDએ ગુરુવારે સવારે 11 વાગ્યે અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને ED ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. એવી આશંકા હતી કે EDK અધિકારીઓ તેની કડક પૂછપરછ કરશે. આવ સ્થિતિમાં ઋષિકેશ દેશમુખ (Rishikesh Deshmukh) ગુરુવારે ED સમક્ષ હાજર થયો ન હતો. ઉપરાંત તે આજે ધરપકડ પહેલા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ અંગે 12 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને NCP પ્રમુખ શરદ પવારને પત્ર લખીને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ મુંબઈના (Mumbai) બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા પડાવવા માટે કરે છે. ઉપરાંત પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો છે.

બાદમાં સચિન વાજે (Sachin Vaze) પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અનિલ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાંડે અને પી.એ. કુંદન શિંદેની બે મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાજે હાલ મહારાષ્ટ્ર પોલીસની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: કારતકમાં શ્રાવણનો માહોલ : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, આ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર

આ પણ વાંચો: Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">