AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે.

Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ
Lakhimpur Kheri Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:50 PM
Share

લખીમપુર ખીરીમાં ટિકુનિયા હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી સુમિત જયસ્વાલ (Sumit Jaiswal) સહિત 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જેને ખેડૂતોને કચડ્યા હતા, ત્યારબાદ હવે કેસમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે. તેની સાથે સત્ય પ્રકાશ ત્રિપાઠી (Satya Prakash Tripathi)ની પાસેથી લાયસન્સ રિવોલ્વર અને 3 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.

સુમિતની ધરપકડની સાથે ખુલશે ઘણા રાજ

સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જે ગાડીએ ખેડૂતોને કચડ્યા હતા, તેનો જીપમાંથી ઉતરીને ભાગતો વીડિયો પણ કોઈએ બનાવ્યો હતો, જે પછીથી ખુબ વાયરલ થયો હતો. હવે પોલીસનું માનવું છે કે સુમિતની ધરપકડની સાથે જ કેસમાં ઘણા મોટા રાજ ખુલશે. સાથે જ તે પણ સ્પષ્ટ થઈ શકે છે ઘટના સમયે ગાડીમાં કોણ કોણ હાજર હતા.

તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘટનાના 147થી વધારે વીડિયો મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાથી જોડાયેલા પુરાવાર શોધવા માટે તપાસ ટીમ તમામ ફુટેજની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ હવે કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લખમીપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. ત્યારે હિંસાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો:  CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

આ પણ વાંચો: Aryan Khan Drugs Case: NCBની તપાસ પક્ષપાતી, શિવસેના નેતાએ SCમાં અરજી દાખલ કરી, કર્યો મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો દાવો

આ પણ વાંચો: દર 40-60 કિમી પર ઇ-વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું NHAIનું લક્ષ્ય, 40,000 કિમીના હાઇવેને કરશે કવર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">