પશ્ચિમ બંગાળમાં કચ્છી પાટીદાર પરિવારની ક્રૂર હત્યા, ભત્રીજાએ જ 4 સભ્યોને ઉતારી દીધા મોતને ઘાટ
Crime: પશ્ચિમ બંગાળમાં કચ્છી પાટીદાર પરિવારના ચાર સભ્યોની કરી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ ફુઆ સહિત પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો.
Crime: પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં (Singur) એક ગુજરાતી પરિવારની (Gujarati Family) તેમના પરિવારના જ યુવકે હત્યા (Murder) કરી દીધી. આ પરિવાર મુક કચ્છનો હતો. કચ્છી પાટીદાર પરિવાર વર્ષોથી સિંગુરમાં રહેતો અને ધંધો કરતો હોવાની માહિતી સામે આવી છે. યુવકે તેના જ પરિવારના ચાર સંબંધીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો જેમાં બેના મોત થયા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને હોસ્પિટલમાં લઇ જવાતા તે બંનેને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટના બાદથી આરોપી ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે. જણાવી દઈએ કે કચ્છી પાટીદાર પરિવાર વર્ષોથી સિંગુરમાં રહેતો હતો. તો દિનેશ પટેલ (50) અને તેમની પત્ની અનસૂયા પટેલ (48), પુત્ર ભાવિક અને પિતા માવજીભાઈ પટેલની તેમના જ પરિવારના સંબંધીએ ગાતાં કરી દેતા ચકચાર મચી ગયો છે.
જણાવી દઈએ કે સિંગુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદન બજાર વિસ્તારના રહેવાસી દિનેશ પટેલ પાસે લાકડાનો વેરહાઉસ છે, તે વેરહાઉસ પરિસરમાં તેમનું ઘર પણ છે. માવજીભાઈની પત્નીના ભત્રીજા યોગેશ અને અન્ય બે ભાઈઓને આસરો આપ્યો હતો. યોગેશ ગુરુવારે સવારે તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં માવજીભાઈના દીકરા દિનેશ અને યોગેશ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન યોગેશે તિક્ષ્ણ હથિયાર કાઢીને દિનેશ અને તેની પત્ની પર હુમલો કર્યો હતો. દિનેશ અને અનસૂયાને બચાવવા ગયેલા દિનેશના પિતા અને પુત્ર પર પણ યોગેશે હુમલો કર્યાનો અહેવાલ સામે આવ્યો છે.
સિંગુરમાં પરિવારના સભ્યો પર હુમલો
પીઠ અને ગરદન પર ઉંડા ઘાને કારણે દિનેશ અને તેમની પત્ની પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તો તેના પિતા-પુત્રનું પણ બાદમાં મોત નીપજ્યું હતું.. અહી ઘટનાને અંજામ આપ્યા બાદ યોગેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચારેયને પહેલા સિંગુર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તબીબોએ દિનેશ અને તેની પત્ની અનસૂયાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર હાલતને જોતા દિનેશના પુત્ર અને પિતાને કોલકાતાની SSKM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
સંપતિના વિવાદને કારણે ઘટના બની
હુગલી ગ્રામીણ પોલીસના અધિક પોલીસ અધિક્ષક શિવપ્રસાદ પાત્રાનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના પૈસાના વિવાદને કારણે બની હતી.
યોગેશ ભાવાણી અને તેના બે ભાઇ રસિક અને વિનુને માવજી પટેલે આસરો આપ્યો હતો. તો છેલ્લા 8-10 વર્ષથી ફુઆ માવજી પટેલની ઉમિયા સો મીલમાં તેઓ કામ કરતા હતા. ત્યારે વચેટ ભાઇ યોગેશે આ મીલમાં ભાગ આપવા માંગણી કરી હતી. જેને ફુઆના દીકરા દિનેશ પટેલે નકારી કાઢતા આ બાબતને લઇ યોગેશ સતત ગિન્નાયેલો રહેતો હોવાના અહેવાલ છે. ત્યારે આ બાબતે અવાર-નવાર ઝગડા પણ કરતો હોકાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો: Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?
આ પણ વાંચો: Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત