Ishrat Jahan Encounter Case : અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા

Ishrat Jahan Encounter Case : CBI કોર્ટે આજે ચુકાદો આપતા તત્કાલિન પોલીસ અધિકારી ગીરીશ સિંઘલ અને તરુણ બારોટ સહિતના કુલ ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

| Updated on: Mar 31, 2021 | 2:40 PM

Ishrat Jahan Encounter Case : બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. ગુજરાત સરકારે આ ત્રણ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવતા આ કેસનું ટ્રાયલ હવે બંધ કરવામાં આવ્યું છે.

ત્રણ પોલીસકર્મીઓ નિર્દોષ જાહેર
31 માર્ચને બુધવારે અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ (Ishrat Jahan Encounter Case)ના ત્રણ આરોપી પોલીસકર્મીઓને જૂન 2004 માં ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ અને અન્ય બેના એન્કાઉન્ટર કેસમાં આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત ડેપ્યુટી એસ.પી. તરૂણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અનજુ ચૌધરીને નિર્દોષ જાહેર કર્યા છે. એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે ત્રણ આરોપી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ના પાડી દીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકારે આ ત્રણ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવતા આ કેસનું ટ્રાયલ હવે બંધ કરવામાં આવ્યું છે.

આ કેસમાં ત્રણ પોલીસકર્મીઓ અંતિમ આરોપીઓ હતા
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ(Ishrat Jahan Encounter Case)માં આ છેલ્લા ત્રણ પોલીસકર્મીઓ આરોપી હતા, જેમના પર હત્યા, ગુનાહિત કાવતરું, અપહરણ અને 19 વર્ષની યુવતીની ગેરકાયદેસર અટકાયત જેવા આરોપો લગાવવામાં આવ્યાં હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-CBI એ 20 માર્ચે કોર્ટને જાણ કરી હતી કે રાજ્ય સરકારે ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
15 જૂન, 2014 ના રોજ મુંબઇ નજીકના મુમ્બ્રામાં રહેતી 19 વર્ષિય યુવતી ઇશરત જહાંને ગુજરાત પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવી હતી.આ એન્કાઉન્ટરમાં જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લાઈ, અમજાદલી અકબરલી રાણા અને ઝીશાન જોહર પણ માર્યા ગયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર લોકો આતંકવાદી હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI)ની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે, હાઈકોર્ટ દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ આ એન્કાઉન્ટર નકલી હોવાના તારણ પર પહોંચી હતી, ત્યારબાદ CBIએ કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.ઈશરત જહા એન્કાઉંટર કેસ (Ishrat jahan encounter) માં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટે આજે ચુકાદો આપતા તત્કાલિન પોલીસ અધિકારી ગીરીશ સિંઘલ અને તરુણ બારોટ સહિતના કુલ ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">