AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંધશ્રદ્ધાના કારણે નિર્દોષનું મોત! પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે શખ્સે બાળકને જંગલમાં લઈ જઈ ચડાવી બલી

અંધશ્રદ્ધાને કારણે બાળકની બલી ચડાવ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડોશમાં રહેતો એક વ્યક્તિએ બાળકને જંગલમાં લઈ ગયો અને તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું.

અંધશ્રદ્ધાના કારણે નિર્દોષનું મોત! પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે શખ્સે બાળકને જંગલમાં લઈ જઈ ચડાવી બલી
Innocent dies due to superstition
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:36 PM
Share

Bihar: જમુઈ જિલ્લાના ઝાઝામાં પડોશમાં રહેતી વ્યક્તિએ બાળકને ગળું કાપી (Slit Throat) હત્યા કરી હતી. મૃતકના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ અંધશ્રદ્ધાને કારણે બાળકની બલી આપી દીધી છે. છાયા પંચાયતના લોગાઈ જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.

આરોપીએ બાળકનું ગળું કાપીને હત્યા કરી હતી. મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે છરી અને બાઇક પણ કબ્જે કર્યા છે. મૃતક મિથુનની માતા રામવતિયા દેવીએ જણાવ્યું છે કે, મંગળવારે સવારે તેમનો 8 વર્ષનો પુત્ર કેટલાક બાળકો સાથે નદીમાં સ્નાન કરવા ગયો હતો. જ્યારે આરોપી લટો દાસ બાઇક પર ત્યાં પહોંચ્યો હતો. અહીંથી તે 2-3 બાળકોને બાઇક પર લોગાઇ જંગલમાં લઇ ગયો. એક બાળક ત્યાંથી ભાગી ગયો પણ મિથુન ભાગ્યો નહીં. આરોપીએ તિક્ષ્ણ હથિયારથી ગળું કાપીને મિથુનની હત્યા કરી હતી.

આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો

સંબંધીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તોલાના જ લાટો દાસની કડક પૂછપરછ કરી. પછી તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. લાટોએ જણાવ્યું હતું કે. તેણે મિથુનની હત્યા ભૂતિયાના સંબંધમાં કરી હતી. તેના કહેવા પર પોલીસે લોગાઈ જંગલમાંથી બાળકનો મૃતદેહ અને તીક્ષ્ણ છરી મળી હતી. આ સાથે આરોપીની બાઇક પણ મળી આવી છે.

તેની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચડાવી બલી

આરોપીએ કહ્યું કે, તેને એક અંધશ્રદ્ધા હતી કે બાળકની હત્યા કરવાથી તેની સમસ્યાઓ હલ થશે. જમુઇના ડીએસપી લાલ બાબુ યાદવના નેતૃત્વમાં, ઝાઝાના પ્રભારી એસડીપીઓ સુશીલ કુમાર સિંહ, એસએચઓ રાજેશ શરણની ટીમ ગુનાના સ્થળે પહોંચી અને તપાસ કરી અને લોહીથી લથપથ માટીના પુરાવા પણ એકત્ર કર્યા હતા.

સાથે જ ડીએસપીએ કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. મંગળવારે ગુમ થયેલા બાળકની જાણ કરવામાં આવી હતી. આ અંગે એક ટીમ બનાવવામાં આવી હતી અને મોડી રાત્રે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેના કહેવાથી શબ, છરી અને બાઇક મળી આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">