AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતન બેટરી હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટે ગોવા રબારી સહિત ત્રણ આરોપીને નિર્દોષ છોડયા

ગોવા રબારી સહિત અન્ય પાંચ દોષિતો માટે જે પહેલાથી જ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેમની સામે સંજોગોવશાત્ પુરાવા છે, જે તેમની સજાને ટકાવી રાખવા માટે એટલા મજબૂત નથી.

ચેતન બેટરી હત્યા કેસ : ગુજરાત હાઇકોર્ટે ગોવા રબારી સહિત ત્રણ આરોપીને નિર્દોષ છોડયા
Chetan Battery murder case: Gujarat High Court acquits three accused, including Goa Rabari
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 7:31 PM
Share

Chetan Battery murder case: ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2005માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચેતન બેટરીની હત્યાના કથિત મુખ્ય કાવતરાખોર ગોવા રબારી અને ત્રણ જેલ અધિકારીને નિર્દોષ જાહેર કર્યા છે. પાંચ લોકોને નિર્દોષ જાહેર કરતી વખતે હાઈકોર્ટે સાબરમતી જેલમાં વહેલી સવારે બેરેક નંબર 6ની અંદર ચેતન પટેલ ઉર્ફે બેટરી પર છરીઓ અને તલવારના ખંજર વડે કરેલા હુમલામાં સંડોવાયેલા વિશાલ નાયક સહિત પાંચ લોકોને દોષિત ઠેરવવાની પુષ્ટિ કરી હતી.

એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ,  2012માં શહેરની સેશન્સ કોર્ટે 11 લોકોને હત્યા અને ગુનાહિત કાવતરું રચવા માટે દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. ગોવા રબારીને મુખ્ય કાવતરાખોર તરીકે ઝડપી લેવાયો હતો અને તેની સાથે ત્રણ જેલ અધિકારીઓ – સબ-જેલર ભીખા રબારી અને બે જેલર ધ્રગપાલસિંહ ચૌહાણ અને ઈશ્વર સોનારાને પણ આજીવન જેલની સજા ફટકારાઇ હતી. આ કેસમાં એક જેલ અધિકારીને નિર્દોષ જાહેર કરાયો હતો. જેલ અધિકારીઓ પર કથિત રીતે જેલની અંદર હથિયાર રાખવાની પરવાનગી આપીને કાવતરું ઘડવાનો આરોપ હતો.

જેમાંથી દસ દોષિતોએ તેમની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. રાજ્ય સરકારે બે નિર્દોષ છૂટકારો સામે પણ અપીલ કરી હતી, જેમાં એક જેલ અધિકારીનો સમાવેશ થાય છે, પરંતુ ઉચ્ચ અદાલતે નિર્દોષ છૂટકારોને સમર્થન આપ્યું હતું. અપીલની સુનાવણી કર્યા પછી જસ્ટિસ આશિષ દેસાઈ અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે નિષ્કર્ષ આપ્યો કે ટ્રાયલ કોર્ટે પાંચ વ્યક્તિઓ – વિશાલ નાયક, જશવંતસિંહ મહેશસિંહ, સુનીલ ઠાકુર, જયંતિ પટેલ અને નિરંજનસિંહ રાજપૂતને દોષિત ઠેરવવામાં કોઈ ભૂલ કરી નથી અને તેમની આજીવન કેદની પુષ્ટિ કરી.

ગોવા રબારી સહિત અન્ય પાંચ દોષિતો માટે જે પહેલાથી જ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેમની સામે સંજોગોવશાત્ પુરાવા છે, જે તેમની સજાને ટકાવી રાખવા માટે એટલા મજબૂત નથી. રબારી માટે હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદી એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું કે ગોવા ગુનાના કાવતરાખોરોમાંનો એક હતો.

આ પણ વાંચો : Gir Somnath જિલ્લા કોંગ્રેસે ચૂંટણી માટે કમર કસી, ડિજિટલ સભ્ય નોંધણીની કામગીરી પૂર્ણ કરવા આહવાન

આ પણ વાંચો : Panchmahal: ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">