AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Cruelty: પ્રાણીઓને બેરહેમીથી માર મારતા પહેલા ચેતજો, પ્રાણીઓ પર અત્યાચાર કરવાની મળે છે આટલી સજા!

દરેક જીવને જીવવાનો અધિકાર છે પછી ભલે તે માનવ હોય કે પશુ-પક્ષી ! બાઇકની સીટ તોડી નાખતા એક યુવાને શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો.

Animal Cruelty: પ્રાણીઓને બેરહેમીથી માર મારતા પહેલા ચેતજો, પ્રાણીઓ પર અત્યાચાર કરવાની મળે છે આટલી સજા!
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 5:13 PM
Share

Animal Curelty: ઘણા લોકો રસ્તે રખડતા મૂંગા પ્રાણીઓને બે-રહેમીથી માર મારતા હોય છે અને અમુક કિસ્સામાં તો અત્યાચાર એટલી હદે વધી જતો હોય છે કે કે જેમાં પ્રાણીઓએ જીવ ગુમાવવો પડે છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં બહાર આવ્યો છે. છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા એક શખ્સે કુતરાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જેને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ આ શ્વાનના અંતિમ સંસ્કાર કરીને ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આરોપી યુવાન પર કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાકડા વડે બેરહેમીથી માર પડતાં શ્વાન લોહી-લુહાણ થઈ ગયું હતું. એનિમલ હેલ્પ લાઈન 1962નો સંપર્ક કરાયો હતો, પરંતુ સારવાર દરમ્યાન શ્વાનનું મૃત્યુ થયું હતુ. જેને લઈને સોસાયટીના લોકો રોષે ભરાયા હતા. શ્વાનનો મૃતદેહ લઈને પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજીને કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ સોસાયટીના રહીશોએ અંતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પશુ પક્ષીઓની સેવા કરતી એક સ્થાનિક સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ક્યાં અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ રજૂઆત કરવા આવેલા લોકોમાંથી ફરિયાદી બનવા કોઈ તૈયાર થયું ન હતું.

કુતરાને માર મારીને મોતને ઘાટ ઉતારનાર યુવાનની બાઈકની સીટ તે કૂતરાએ ફાડી નાખી હતી અને અગાઉ તેને બચકું પણ ભર્યું હતું. જેને લઈને તેને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દરેક જીવને જીવવાનો અધિકાર છે પછી ભલે તે માનવ હોય કે પશુ-પક્ષી! જીવ દયા પ્રેમીઓએ આ ઘટનાને ભારે વખોડી હતી અને જ્યારે આ બાબતે ફરિયાદી બનવા કોઈ તૈયાર ન થયું ત્યારે પોલીસને ફરિયાદી બનીને ફરિયાદ નોંધવા સૂચન કર્યું હતું.

ગુનો સાબિત થાય તો મળે 5 વર્ષ જેલની સજા

પશુઓ પર થતાં અત્યાચાર સામે જનજાગૃતિ ફેલાવતી એક સ્થાનિક સંસ્થાના કર્મચારી જણાવે છે કે કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારી બદલ પશુ ક્રૂરતા અધિનિયમ ધારા (The Prevention of Cruelty to Animals Act, 1960) કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય સંવિધાન અનુચ્છેદ 5-1(A) મુજબ કોઈ પણ પશુ પ્રેમીને પશુપક્ષીને ભોજન આપતા અવરોધ ઊભો કરે તો પણ ગુનો બને છે. આવા ગુનાઓમાં જો અપરાધ સાબિત થાય તો વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: Raj Kundra Case : રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી, અનેક બેંક એકાઉન્ટને લેવાયા ટાંચમાં

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાના હત્યારાને આજીવન કેદની સજા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">