અમદાવાદમાં વૃદ્ધો અસુરક્ષિત, ઘાટલોડિયા બાદ સાબરમતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર

મૃતક દેવેન્દ્ર રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી સાબરમતી અચેર વિસ્તારમાં ઠાકોર વાસ બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નિકલ્યા અને પહેલા તેમના જુના મકાને ગયા.

અમદાવાદમાં વૃદ્ધો અસુરક્ષિત, ઘાટલોડિયા બાદ સાબરમતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર
Another murder of an old man in Ahmedabad
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:06 PM

ઘાટલોડિયા બાદ હવે સાબરમતીમાં સીનીયર સિટીઝનની હત્યા. હત્યા થતા ફરી એક વાર પોલીસની સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા. એક વૃદ્ધ કોઈ યુવકને મદદ કરવા જુના ઘરે આવ્યા અને થઈ હત્યા. સોનાની ચેઇન , મોબાઈલ અને વાહન ન મળતા લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.મૂળ ત્રાગડ ખાતે રહેતા વૃદ્ધ દેવેન્દ્ર રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ સહારા કંપનીમાંથી નોકરી કરી હાલ નિવૃત જીવન ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જુના ઘર સાબરમતી ઠાકોરવાસમાં ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેઓની પત્ની ગીતાબેનએ તપાસ કરી. તપાસ કરી તો જુના ઘરમાંથી લાશ મળી આવી. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘા ના નિશાન મળી આવ્યા. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.

મૃતક દેવેન્દ્ર રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી સાબરમતી અચેર વિસ્તારમાં ઠાકોર વાસ બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નિકલ્યા અને પહેલા તેમના જુના મકાને ગયા. જ્યાં તેમની હત્યા થઈ. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી. કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેની પર પોલીસની પ્રબળ શંકા જોવા મળી છે. ત્યારે હકીકત શુ છે તે જાણવા પોલીસ કામે લાગી છે. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે દેવેન્દ્ર ભાઈ અને તેમના પત્ની ઠાકોરવાસ બહુ ઓછા રહેવા આવતા હતા..હાલ ઘરનું રીનોવેશન કામ ચાલતું હોવાથી આવતા જતા હતા. સ્થાનિકો લોકો કહેવું છે કે કોઈ જાણભેદુ હત્યા કરી હોઈ શકે છે કારણકે કોઈ દિવસ ચોરીનો બનાવ હજી સુધી નથી બન્યો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એક તરફ પોલીસના સુરક્ષાના દાવા, બીજી તરફ સિનીયર સીટીઝન માટે શી ટીમ રેકર્ડ રાખી તેઓની કાળજી રાખી રહી હોવાની વાતો. પોલીસની આ વાતો ક્યાંક કાગળ પર રહી હોવાનું લાગી રહ્યું છે. પોલીસ માત્ર પોતાની વાહવાહી બતાવવા જ આ પ્રોજેકટ ઉભા કરી કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વૃદ્ધની હત્યા કોણે કરી અને કયા કારણોસર આ હત્યા કરાઈ તે મામલે શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">