Ahmedabad: પત્નીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડ

|

Aug 19, 2021 | 7:02 PM

પિતાએ પત્નીની છેડતી કરી હોવાનું કહીને પુત્રએ દસ્તા મોઢાના ભાગે મારતા પિતાનું મોત નીપજ્યું હતું.

Ahmedabad: પત્નીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડ
Ahmedabad: Son kills father over alleged molestation of wife

Follow us on

Ahmedabad: ફોટોમાં જોવા મળતા આ યુવકે પોતાના પિતાની હત્યા કરી નાખી છે. ફરી એક વખત સંબંધો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ પત્નીની છેડતી કરી હોવાનું કહીને પુત્રએ દસ્તા મોઢાના ભાગે મારતા પિતાનું મોત નીપજ્યું હતું.

ઘટના કઈ ક એવી છે કે, શહેરના સરદારનગરમાં રહેતા પ્રિન્સ ગારંગેને પોતાના મોટા ભાઈ અંકુશનો ફોન આવ્યો કે, પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે. જેથી હું તેમની સાથે ઝઘડો કરવા જવું છું. ભાઈનો ગુસ્સો જોઈને પ્રિંસ મિત્રને ફોન કરીને ઘરે મોકલ્યો. ત્યારે અંકુશ પોતાના પિતા બ્રિજેશ ઉર્ફે બિરજુ સાથે મારપીટ કરી રહ્યો હતો.

પાડોશીઓ અને મિત્રોએ તેને છોડાવ્યો. પ્રિન્સ ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ જ હતું. આ ઝઘડા દરમિયાન આરોપી અંકુશએ દસ્તાથી પિતાના મોઢાના ભાગે ઘા ઝીકી દીધો હતો. જેથી તેના પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં નાના ભાઈ પિતાની હત્યાને લઈને મોટા ભાઈ અંકુશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મૃતક બ્રિજેશ ઉર્ફ બિરજુ ગારંગેની પ્રથમ પત્ની 2013માં મૃત્યુ પામી હતી. તેમને 4 સંતાનો છે. જેમાં બે પુત્ર અને બે દીકરી. બન્ને દીકરીના લગ્ન થઈ ગયા છે. જ્યારે મોટા દીકરા અંકુશના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા. લગ્ન પછી અંકુશ પોતાની પત્ની કોમલને લઈને ભાડે રહેવા જતો રહ્યો હતો. પરંતુ મજુરી કરવા છતાં કમાણી ઓછી હોવાથી તે ઘરનું ભાડું ભરી શકતો નહતો. જેથી 7 દિવસ પહેલા જ મૃતક બિરજુભાઈ પુત્ર અને પુત્રવધુને પોતાના ઘરે લઈને આવ્યા હતા. અને તેમનું રૂપિયા 11 હજાર ઘરનું ભાડું ભર્યું હતું.

બિરજુભાઈ પર છેડતીના લગાવેલા આરોપને તેમનો નાનો દીકરો ખોટા કહે છે. પરંતુ બિરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનું મેસેજ લખાવ્યો હતો. આ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્ર અંકુશની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, મૃતક બિરજુભાઈ દારૂ પીવાની કુટેવ હતી. એક દીકરો પિતાના ચારિત્ર્ય પર શકા કરીને હત્યા કરે છે જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો

Next Article