AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પોલીસકર્મીની દબંગાઈનો આવ્યો અંત, મારામારીના ગુનામાં નાસતા ફરતા પોલીસકર્મીની ધરપકડ

કુષ્ણનગરમા વૃધ્ધ પર હુમલો કરનાર પોલીસ કર્મચારીની કરાઈ ધરપકડ. સોસાયટીના વિવાદમા એક સીનીયર સિટીઝન પર હુમલો કર્યો હતો.

Ahmedabad: પોલીસકર્મીની દબંગાઈનો આવ્યો અંત, મારામારીના ગુનામાં નાસતા ફરતા પોલીસકર્મીની ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:12 PM
Share

Ahmedabad: કૃષ્ણનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝનને એક્ટિવા પરથી ઉતારીને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં CID ક્રાઈમ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ રાવલે પોતાની જ સોસાયટીમાં ધાક અને દહેશત ફેલાવવા માટે થઈને વૃદ્ધ વ્યક્તિને માર માર્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહે અગાઉ આરોપી પોલીસકર્મી તેમજ તેના મિત્ર ભાર્ગવ વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જેની અદાવત રાખીને આ ભાવેશ રાવલે કનકભાઈ શાહ તથા સોસાયટીમાં અન્ય વ્યક્તિઓને ધાક ધમકી આપી હતી અને કનકભાઈ શાહને એક્ટિવા પરથી ઉતારીને માર માર્યો હતો. જે બાબતે કૃષ્ણનગર પોલીસે ભાવેશ રાવલ નામમાં પોલીસકર્મીની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી છે. આ પોલીસકર્મી વિરુદ્ધ આ જ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એક ગુનો નોંધાઈ ચુક્યો છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ગિરફતમાં આવેલો શખ્સ ખુદ પોતે રાજ્યની નામચીન એજન્સી ગણાતી એવી CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને લોકોને ધમકાવતો ફરતો હતો, અને તેની જ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધને તાજેતરમાં જ માર માર્યો હોવાનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો જેના ભાગરૂપે CID ક્રાઈમના એડમીન વિભાગના જેસીપી દ્વારા ભાવેશ રાવલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ કરી ફરાર બે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે

CID ક્રાઈમમાં ફરજ બજાવતા આ પોલીસકર્મીને દબંગાઈથી તેના વિસ્તારમાં રહેતા લોકો ત્રસથ થઈ ગયા હતા, આ સાથે જ આસપાસના રહીશોનો આક્ષેપ છે કે, તેને પોતાના રહેણાક વિસ્તારની નજીક ગેરકાયદેસર બાંધકામ પણ કર્યું છે. જેને લઈને પણ સ્થાનિક લોકોએ અવારનવાર સંલગ્ન કચેરીમાં ફરિયાદ પણ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ કેસમા પોલીસ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો: Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">