Ahmedabad: ફૂલ જેવી દીકરીની હત્યા બાદ માતાએ પણ કરી આત્મહત્યા, ઘર કંકાસ બન્યો કારણભૂત

|

Apr 19, 2021 | 4:59 PM

Ahmedabad: આપની ગુજરાતી ભાષામાં કહેવત છે કે 'માં તે માં બીજા વગડાના વા' પરંતુ  ઘર કંકાસ કારણે માતાને હત્યારી બનવા મજબૂર થવું પડ્યું હતું અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતે આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું.

Ahmedabad: ફૂલ જેવી દીકરીની હત્યા બાદ માતાએ પણ કરી આત્મહત્યા, ઘર કંકાસ બન્યો કારણભૂત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Ahmedabad: આપની ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘માં તે માં બીજા વગડાના વા’ પરંતુ  ઘર કંકાસ કારણે માતાને હત્યારી બનવા મજબૂર થવું પડ્યું હતું અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતે આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. આ વાત છે ઈસનપુર વિસ્તારની કે રવિવાર વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરી ગળે ફાસો ખાધેલ હાલતમાં લાશ હતી.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પોલીસ જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવી તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની બાળકી મૈત્રીને ગળે ફાંસો આપી હત્યા કરી દીધી અને બાદમાં માતા આત્મહત્યા કરી જીવન ટુકવાયું હતું. માતા આ પગલું ભરવા પાછળનું કારણ ઘર કંકાસ કારણે કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ,સાસુ-સસરા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન  લખતા હતા આ ડોક્ટર સાહેબ, અને પછી થયું કઈક આવું…. 

 

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક નિમિષા લગ્નના 3 મહિના પછી સાસરિયા દ્વારા માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં પરણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ 498 એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરી હતી.

 

તે બાદ સાસરિયા દ્વારા પુત્રવધૂ નિમિષા સમજાવી ઘરે લાવ્યા હતા, પરંતુ સાસરિયા દ્વારા ત્રાસ આપતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરતું મૃતક પરણીતાના ભાઈએ આક્ષેપ કર્યા છે કે તેની બહેન અને દોઢ વર્ષની ભાણીને તેના પતિ જીતેન્દ્ર સોલંકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધા છે.

 

મૃતક પરણીતાના પરિવાજનો આક્ષેપ છે કે બાળકીનો જન્મ થતાં જ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા હતા. ત્યારે પોલીસે સાસરિયા 6 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ પગલું ભરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ?

 

આ પણ વાંચો : એક ટ્રેન આવતા સોનલ કપાઈ ગઈ હતી, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ચાર મહિના બાદ તપાસના અંતે હકીકત બહાર આવી કે…. 

Next Article