Ahmedabad : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે

શહેરમાં નિર્ભયા પ્રોજેકટ અને સ્માર્ટ સીટી પોર્જેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહયું છે. જેથી હવે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

Ahmedabad : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે
Ahmedabad: Crime rate rises in city, more than 3,000 CCTV cameras to be installed under Vishwas project
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 18, 2021 | 11:40 AM

વિકસતા અમદાવાદની સાથે જ ગુનાખોરીના બનાવ પણ વધ્યા છે. ગુનાખોરીને લગામ લગાવવા અમદાવાદ શહેર હવે CCTVથી સજજ થશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા તીસરી નજરથી સુરક્ષા રાખીને પ્રજાનો વિશ્વાસ કેળવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 3000 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગુનેગારોને ઝડપથી પકડી શકાય તે માટે શહેરમાં મેગા CCTV પ્રોજેકટ શરૂ કરાશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. હાલમાં 1487 સીસીટીવી કેમેરા શહેરમાં લગાવવામાં આવ્યા છે.

શહેરમાં નિર્ભયા પ્રોજેકટ અને સ્માર્ટ સીટી પોર્જેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહયું છે. જેથી હવે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં શહેરની અંદર પ્રવેશતા એન્ટર અને એકઝીટ રસ્તાઓ તેમજ સંવેદશનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા સજજ થશે. જેને લઈને અમદાવાદમા વિસ્તારનું સર્વે શરૂ કર્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અત્યારે શહેરમાં 1487 જેટલા CCTV કાર્યરત છે. ત્યારે ચેન સ્નેચિંગ લૂંટ અને અકસ્માતના બનાવોમાં CCTV આરોપી સુધી પહોંચવાનું અગત્યનું પગેરું હોય છે. CCTVના અભાવે આરોપી સુધી પહોંચવામાં નિસફળતા મળે છે. અને તેને જ લઈને હવે અમદાવાદ શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ ભીડભાળવાળા વિસ્તાર તેમજ સંભવિત અકસ્માતના વિસ્તારોમાં 3000 હજાર CCTV નું નેટવર્ક ગોઠવવામાં આવશે. જેના થકી ગુનેગારો પર ચાંપતી નજર રાખી શકાશે.

જેમાં ફીકસ કેમેરા, RLVD (રેડ લાઈટ વાઈલોસ ડીટેકસન) કેમેરા, AMPR (ઓટોમેટીક નંબર પ્લેટ રેકેટમીશન સીસ્ટમ)કેમેરા, અને પીટીજેલ કેમેરા લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ જોઈન્ટ પોલીસ કમિશ્નર ગૌતમ પરમાર દ્વારા 9 ટીમ બનાવી સર્વે કામગીરી કરવામાં આવી છે. જે આ વર્ષના અંતે સીસીટીવી લગાવવાનો આયોજન કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં વધતા ગુનાખોરીના આંકડા વચ્ચે પોલીસની તીસરી આંખ તરીકે ઓળખાતા CCTV અંગેના આ પ્રોજેકટ સફળ થાય છે કે પછી અન્ય પ્રોજેકટની જેમ બાળ મરણ થશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો : IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો : પોતાના પાલતું શ્વાનના વાળમાંથી આ મહિલાએ બનાવડાવ્યુ સ્કાફ, અજીબો ગરીબ કામ પાછળ તેણે ખર્ચ્યા આટલા રૂપિયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">