AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : માત્ર 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો

આરોપી રવિ 1 મહિના પહેલા અમદાવાદ આવ્યો. રવિ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવિ બંને ફૂટપાથ પર જ રહેતા હતા તે સમય દરમ્યાન બંનેની મિત્રતા થઈ હતી.

અમદાવાદ : માત્ર 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો
Ahmedabad: A beggar was killed for taking only Rs 400
Darshal Raval
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:44 PM
Share

અમદાવાદનું (Ahmedabad) પૂર્વ વિસ્તાર હત્યાની (Murder) ઘટના સામે આવી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મજૂરી કામ કરતા યુવકે ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની (Beggar) છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસની પકડમાં દેખાતા આરોપીનું નામ છે રવિ કુમાર. જે મૂળ દિલ્હીનો રહેવાસી છે. અને અમદાવાદમાં તે બોટલ વિણવાનું કામ કરતો. જેના પર આરોપ છે તેના જ મિત્ર એવા ભિક્ષુકની હત્યા કરવાનો. જેનો જમણો પગ પણ ન હતો. જે ગુનામાં ગોમતીપુર પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

ઘટના જાણે એમ બની હતી કે આરોપી રવિ 1 મહિના પહેલા અમદાવાદ આવ્યો. રવિ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવિ બંને ફૂટપાથ પર જ રહેતા હતા તે સમય દરમ્યાન બંનેની મિત્રતા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક અને આરોપી બંને સાથે મળીને નશો પણ કરતા હતા. અને એકબીજા વચ્ચે નાણાકીય લેવડ દેવડ પણ થતી હતી. શુક્રવારની સવારે મૃતક ભિક્ષુકે રવિ જોડે પૈસા માંગ્યા હતા. પરંતુ રવિ એ પૈસા ન આપતા ભિક્ષુક અને રવિ વચ્ચે માથાકૂટ થતા ભિક્ષુકે મોઢાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જોકે તે વખતે રવિ ત્યાંથી નીકળી ગયો ગયો હતો.

બાદમાં એ જ દિવસે રાત્રિના સમયે રવિ મજૂરી કામ પરથી પરત આવતા મૃતક ભિક્ષુકે રવિ પાસેથી ફરી પૈસાની માંગણી કરી હતી. જોકે રવિએ પૈસા ના આપતા ભિક્ષુક નવાબે ફરી છરી બતાવી મારવા જતા રવિએ ભિક્ષુકના હાથમાંથી છરી લઈ પેટમાં તથા ગળાના ભાગે ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું. જે ઘટનામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી. તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

પોલીસને હાલ મૃતકના સાચા નામ અંગે પણ શંકા હોવાથી સોશિયલ મીડિયાનો સહારો લઇ તેના પરિવાર સુધી પહોંચવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. સાથે આરોપી રવિ દિલ્હીથી અમદાવાદ કેમ આવ્યો હતો ત્યાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા : પ્રાકૃતિક કૃષિ અપનાવી રૂપિયા 60 લાખથી વધુ આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">