Surat: સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવામાં 2 સામે ફરિયાદ, માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, જાણો વિગત

સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાના આરોપ બાદ ધમકી શરુ થઇ ગઈ છે. જેને લઈને ફરિયાદ નોંધાવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:54 AM

સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપનારા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સાથે જ તમને જણાવી દઈએ કે ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી હતી. જેના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર બાબતે ચારણ સમાજના અગ્રણીઓની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું.

તમને જણાવી દઈએ કે સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ લાગ્યો હતો બાદમાં માતાજીના ભક્તોનો રોષ વધ્યો. જેને પગલે મંદિરમાં જઈને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીને માર માર્યો હોવાની વાત પણ સામે આવી હતી.

સ્વામીએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને ટિપ્પણી કરી હતી. સ્વામીએ માતાજીની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો આરોપ છે. સ્વામિએ કહ્યું કે, માફી માગી લેવાયા બાદ વિવાદનો અંત આવ્યો હતો છતા હુમલો કરવામાં આવ્યો છે. અને હવે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે.

 

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">