આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે

ગુજરાતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી.

આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે
Corona Vaccinatine (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:27 AM

ગુજરાત (Gujarat)માં રસીકરણ અભિયાન (Vaccination campaign) પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. જે રીતે કોરોના રસીકરણ થઈ રહ્યું છે તે જોતા રાજ્યમાં નવો વિક્રમ સ્થાપિત થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 9 કરોડ 98 લાખ 80 હજાર 825 ડોઝ આપી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે.

એક તરફ કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને કોરોના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ ચાલી રહ્યું છે તેની કેન્દ્ર સ્તરે પ્રશંસા થઇ રહી છે.

ગુજરાતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી. ત્યારબાદ પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી સામે ઝઝૂમતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

17 એપ્રિલ 2021ના રોજ દેશમાં એક કરોડ વેક્સિનના ડોઝ આપવાનો વિક્રમ સર્જાયો હતો. 13 જુલાઈ 2021એ આ આંકડો બે કરોડને પાર પહોંચી ગયો હતો. તો 20 જુલાઈ 2021ના દિવસે ત્રણ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટના રોજ 4 કરોડ, 8 સપ્ટેમ્બરના દિવસે 5 કરોડ અને 22 ઓક્ટોબર 2021ના દિવસે 6.80 કરોડ ડોઝ અપાયા હતા. 28 નવેમ્બર 2021ના દિવસે 8 કરોડ. 12 જાન્યુઆરી 2022ના દિવસે 9 કરોડનો રસીકરણનો આંકડો પાર થયો હતો.

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેવામાં રસીકરણનો આ વિક્રમ કોરોના સામેની જંગમાં મહત્વનો સાબીત થશે. મહત્વનું છે કે 7 ફેબ્રુઆરીએ ગુજરાતમાં કોરોનાના કુલ 2909 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 928 નવા કેસ અને 6 લોકોનાં મોત થયા. તો વડોદરામાં 461 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 90 નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં 185 નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા અને 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

આ પણ વાંચો-

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

આ પણ વાંચો-

Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">