AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમિક્રોનના વધ્યા કેસ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું – દેશમાં કુલ 161 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યસભામાં ઓમિક્રોનના કેસની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને અમે દવાઓના બફર સ્ટોકની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

ઓમિક્રોનના વધ્યા કેસ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું - દેશમાં કુલ 161 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ
Omicron variant case (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:21 PM
Share

સમગ્ર દેશમાં ઓમિક્રોનના (Omicron variant) કેસ વધીને 161 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) રાજ્યસભામાં આ અંગે માહિતી આપી છે. આરોગ્ય પ્રધાને કહ્યું કે ઓમિક્રોન પર દરરોજ નિષ્ણાતો સાથે નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોરોનાના પ્રથમ અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં રાખીને, અમે મહત્વપૂર્ણ દવાઓના બફર સ્ટોકની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી કરીને ઓમિક્રોનના ફેલાવાના કિસ્સામાં આપણે સમસ્યાનો સામનો ન કરવો પડે.

દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ છે?

મહારાષ્ટ્ર 54
દિલ્હી 28
તેલંગાણામાં 20
રાજસ્થાનમાં 17
કર્ણાટકમાં 14
કેરળમાં 11
ગુજરાતમાં 11
ઉત્તર પ્રદેશમાં 2
આંધ્ર પ્રદેશમાં 1
તમિલનાડુમાં 1
બંગાળમાં 1
ચંદીગઢમાં 1

 

તમામ રાજ્યો પાસે પૂરતી રસી છે આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે હવે 17 કરોડ ડોઝ રસીના ઉપલબ્ધ છે. આજે, ભારત દર મહિને 31 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે આગામી બે મહિનામાં આ વધીને દર મહિને 45 કરોડ ડોઝ થઈ જશે.

આરોગ્ય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોને કારણે કોવિડ રસીના પ્રથમ ડોઝના 88 ટકાનું આપી દેવામાં આવ્યા છે. જ્યાર, રસીનો બીજો ડોઝ તે પૈકીના 58 % લોકોને આપી દેવામાં આવ્યો છે. આજે દેશમાં મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે. જેમને બીજો ડોઝ આપવાનો બાકી છે તે લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે સરકાર, આરોગ્ય કર્મચારીઓ સતત પ્રયાસ કરે છે.

આ પણ વાંચોઃ

ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને એકઠા કર્યા 13,109 કરોડ, નાણામંત્રીએ સંસદમાં આપી માહિતી

આ પણ વાંચોઃ

જમ્મુ કાશ્મીરના CM જમ્મુ ક્ષેત્રમાંથી બનશે ? સીમાંકન પંચે જમ્મુમાં 6 બેઠકો, કાશ્મીરમાં 1 બેઠક વધારવાનો રજુ કર્યો પ્રસ્તાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">