AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા

દિલ્હીના (Delhi) એક સંક્રમિતમાં ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ (Omicron Variant) મળી આવ્યો છે. હવે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઈન્સાકોગના વૈજ્ઞાનિકોએ તેની તપાસ શરૂ કરી છે.

Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા
Corona Omicron Variant
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:44 AM
Share

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના(Corona Virus)  કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓમિક્રોનના એક-બે નહીં પરંતુ 8 નવા વેરિયન્ટ્સ (Corona Variant) મળી આવ્યા છે. આનો એક વેરિઅન્ટ રાજધાની દિલ્હીમાં પણ જોવા મળ્યો છે. તેની તપાસ INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના વૈજ્ઞાનિકો દ્વારા શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ વેરિઅન્ટ તાજેતરમાં એક કોરોના સંક્રમિત દર્દીમાં જોવા મળ્યો છે જે વિદેશ પ્રવાસથી દિલ્હી પરત ફર્યો હતો. જો કે, તેનું આનુવંશિક માળખું હાલના વેરિઅન્ટ કરતાં સંપૂર્ણપણે અલગ છે. તેથી આ નવા વેરિઅન્ટની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમે તેને INSACOG માં મોકલ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Insaccoના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે જ્યારે કોરોના વાયરસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અને તેમના આનુવંશિક બંધારણ સાથે મેળ ખાય છે, ઉપરાંત તે BA.2.12.1 મ્યુટેશન જેવું જ છે. જો કે, જાહેર આરોગ્ય પર તેની અસરો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

કોરોનાનો આંકડો ફરી વધી રહ્યો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા એક દિવસમાં કોરોનાના (Corona Case) 2380 નવા કેસ નોંધાયા છે અને 56 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. તેમાંથી કેરળમાંથી 53 વૃદ્ધોના મોત નોંધાયા છે. દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4,30,49,974 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 5,22,062 લોકોના મોત થયા છે. જ્યારે 1231 દર્દીઓના સાજા થતા કુલ આંકડો 4,25,14,479 પર પહોંચ્યો છે.

1.29 લાખથી વધુ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ

રાજ્યોમાં કોરોનાના 20.16 કરોડ ડોઝ છે. તેમાં ભારત સરકાર (Indian Government) દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા ડોઝ અને રાજ્યો દ્વારા સીધા ખરીદવામાં આવતા ડોઝનો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર દેશમાં નવેમ્બર 2020થી કોરોના દર્દીઓના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1.29 લાખથી વધુ નમૂનાઓ ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં, કોરોના વાયરસના 21 પ્રકારના મ્યુટેશનની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના બે મ્યુટેશન, ba.1 અને ba.2 ઓળખવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચોઃ

CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM

આ પણ વાંચોઃ

રશિયાનો મોટો નિર્ણય, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ સહિત અનેક અમેરિકન-કેનેડિયનના પ્રવેશ પર પ્રતિબંધ

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">