AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Booster Dose: બરફથી ઢંકાયેલા જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ડ્રોનથી કોરોના વેક્સિન પહોચાડી રહી છે સેના

કોરોના વાયરસને ખતમ કરવા માટે દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 175 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.

Booster Dose: બરફથી ઢંકાયેલા જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ડ્રોનથી કોરોના વેક્સિન પહોચાડી રહી છે સેના
Indian Army using drones to supply booster dose vaccine Jammu and KashmirImage Credit source: Indian Army Officials
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:37 AM
Share

Booster Dose : જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના કેન્દ્રશાસિત પ્રદેશમાં, ભારતીય સેના (Indian Army) બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં કોવિડ -19 રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose)સપ્લાય કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મેડિકલ પેકેજની ડિલિવરી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમાં ડ્રોપિંગ ઝોનની તૈયારીથી લઈને મેડિકલ સપ્લાયની ડિલિવરી સુધીની ક્લિપ્સ છે.

મિશન સંજીવની હેઠળ, ડ્રોનની મદદથી દૂરના વિસ્તારોમાં તબીબી પુરવઠો પહોંચાડવામાં આવે છે. કોરોનાવાયરસ (Coronavirus) ને નાબૂદ કરવા માટે દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ (Corona Vaccination) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 175 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.

રોગચાળા સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પછી વિવિધ વય જૂથો માટે રસીકરણ શરૂ થયું. આ વર્ષે 3 જાન્યુઆરીથી, 15-18 વર્ષની વય જૂથના યુવાનો માટે કોવિડ-19 વિરોધી રસી શરૂ કરવામાં આવી હતી. ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં ફરી વધારો થતાં ભારતે 10 જાન્યુઆરીએ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ, ચૂંટણી ફરજ પરના લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીવાળા લોકોને (Booster Dose) આપવાનું શરૂ કર્યું.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22270 નવા કેસ સામે આવ્યા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીના અમલીકરણની ગતિને ઝડપી બનાવવા અને તેનો વ્યાપ વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 22,270 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 325 લોકોના મોત થયા છે. આ દરમિયાન 60,298 લોકોએ આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળતા મેળવી છે. સક્રિય કેસોમાં મોટો ઘટાડો થયો છે અને આ આંકડો 2,53,739 સુધી મર્યાદિત છે. શુક્રવારના કેસ કરતા શનિવારે કોરોનાના કેસ લગભગ 14 ટકા ઓછા છે.

આ પણ વાંચો : અફઘાન શીખ અને હિન્દુઓને મળ્યા PM મોદી, પીડિતોએ કહ્યું- તાલિબાને જાસૂસ તરીકે કર્યું હતું અમારું અપહરણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">