દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત, એક દિવસમાં નોંધાયા નવા 2.41 લાખ કેસ અને 3736 લોકોના થયા મોત

દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2.41 લાખ નવા કેસ નોંધાયા છે અને 3,736 લોકોનાં મૃત્યુ થયા છે.

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત, એક દિવસમાં નોંધાયા નવા 2.41 લાખ કેસ અને 3736 લોકોના થયા મોત
File Photo
Follow Us:
| Updated on: May 23, 2021 | 9:20 AM

દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2.41 લાખ નવા કેસ નોંધાયા છે અને 3,736 લોકોનાં મૃત્યુ થયા છે, તેમજ 3.54 લાખથી વધુ લોકો સાજા થયા. દેશમાં પોઝિટિવ કેસનો આંક 2.65 કરોડને પાર થયો, જ્યારે 2.99 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયા.

અત્યાર સુધીમાં 2.34 કરોડથી વધુ લોકો સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 28 લાખ પર પહોંચી અને રિકવરી રેટ વધીને 87.76 ટકાએ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

ગુજરાતમાં પણ હવે કોરોનાથી આખરે રાહત મળતી દેખાઈ રહી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 4500થી નીચે કેસ નોંધાયા, તો નવા દર્દીઓ સામે સતત 18માં દિવસે સાજા થનારા દર્દીઓ વધારે છે. કેસના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સતત બીજા દિવસે નવા 4 હજાર 205 કેસ સામે 8 હજાર 445 દર્દીઓ સાજા થયા છે, તો વધુ 54 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9523 પર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 લાખ 95 હજાર 26 પર પહોંચી છે. રાજ્યમાં સક્રિય કેસ ઘટીને 80 હજાર 127 પર પહોંચ્યા છે. જો કે હજુ 679 દર્દીઓ વેન્ટિલેટર પર છે, પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 88.57 ટકા થયો છે.

રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં 1647 દર્દીઓ સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 711 કેસ નોંધાયા. સુરતમાં 763 દર્દીઓ સાજા થયા, જ્યારે 10 દર્દીના મૃત્યુ સાથે 450 કેસ નોંધાયા. વડોદરામાં 908 દર્દી સાજા થયા, જ્યારે 6 દર્દીના મૃત્યુ સાથે 545 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 385 દર્દી સાજા થયા, જ્યારે 5 દર્દીના મૃત્યુ સાથે 331 કેસ નોંધાયા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">