AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન

હાલમાં દેશમાં 15-17 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં NTAGI ચીફ ડૉ એન કે અરોરાએ કહ્યું કે 12-14 વર્ષના બાળકોને માર્ચથી વેક્સિન લગાડવાનું શરૂ કરશે.

Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન
child vaccination ( Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:24 AM
Share

દેશમાં કોરોના (Covid-19) અને તેના નવા પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હાલમાં દેશમાં 15-17 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન, અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) ના અધ્યક્ષ ડૉ એન કે અરોરાએ જણાવ્યું છે કે 12-14 વર્ષના બાળકોને માર્ચથી રસી આપવાનું શરૂ થઈ જશે. જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 15-17 વર્ષના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

અત્યાર સુધીમાં લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે માત્ર 13 દિવસમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં 15-17 વર્ષના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ થઈ છે. ડૉ. અરોરાએ કહ્યું, ‘જાન્યુઆરીના અંત સુધીમાં 15-17 વર્ષની વયના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે.’

વધુમાં કહ્યું હતું કે, ‘આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ. જેમાં પાંચ મતદાન રાજ્યોમાં તૈનાત મતદાન કર્મચારીઓ અને 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.

રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું

દેશમાં રસીકરણ અભિયાનને રવિવારે એક વર્ષ પૂર્ણ થયું. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સરકારને સખત મહેનત કરવી પડી હતી. એક તરફ લોકોને રસીકરણ વિશે જાગૃત બનાવવું એ એક મોટો પડકાર હતો, તો બીજી તરફ તેની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.

આ પણ વાંચો : Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો : Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">