AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દેશના પ્રખ્યાત કથ્થક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Birju Maharaj passed away ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:38 AM
Share

જાણીતા કથ્થક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું (Birju maharaj )નિધન થયું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજ 83, એ રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. બિરજુ મહારાજની તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું, ‘અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે અમારા પરિવારના સૌથી પ્રિય સભ્યનું બિરજુ મહારાજનું 17 જાન્યુઆરીએ દુઃખદ અને અકાળે અવસાન થયું છે.’સિંગર અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

પંડિત બિરજુ મહારાજ રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 12:00 વાગ્યા સુધી તેમના પૌત્રો સાથે અંતાક્ષરી રમતા હતા. અંતાક્ષરી રમતી વખતે અચાનક તેની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગયા હતા. તેને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પંડિત બિરજુ મહારાજને થોડા દિવસો પહેલા કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેઓ ડાયાલિસિસ પર  હતા પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું અવસાન થયું હતું.

ભારતીય લોક ગાયિકા માલિની અવસ્થીએ પણ બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટર પર લખ્યું, ‘આજે ભારતીય સંગીતની લય બંધ થઈ ગઈ છે. અવાજો શાંત થઈ ગયા. ભાવ ઘટીને શૂન્ય થઈ ગયા. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજ હવે નથી રહ્યા. લખનૌની દેવધી આજે નિર્જન બની ગઈ હતી. કાલિકાબિંદાદિન જીની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજ જી અનંતમાં વિલીન થઈ ગયા. આ એક ન ભરી શકાય તેવી ખોટ છે.

બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનૌમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા હતું. કથક નૃત્યાંગના ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક ડાન્સર હતા.

બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

2012 માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016 માં, બાજીરાવ મસ્તાનીની મોહે રંગ દો લાલ’ માં તેની કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ સિવાય તેણે સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ મ્યુઝિક આપ્યું હતું.

આ  પણ વાંચો : લતા મંગેશકરની તબિયત અંગે બહેન આશા ભોંસલેની આવી પ્રતિક્રિયા, કહ્યું કે- સારા સ્વાસ્થ્ય માટે ઘરે પૂજા રાખી છે

આ પણ વાંચો : Photos : બ્રેકઅપના સમાચાર બાદ પહેલી વાર સાથે દેખાયા અર્જુન અને મલાઇકા, એકબીજા સાથે કર્યો ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">