Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે

Corona રસીકરણનો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 1.63 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સિનની આડઅસર થઇ નથી.

Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 3:03 PM

Corona રસીકરણનો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 1.63 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સિનની આડઅસર થઇ નથી.

મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશીએ ભારત બાયોટેકની “કોવેક્સિન” અને સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડીયાની “કોવિશીલ્ડ” આ બંને વેક્સિનને અસરકારક બતાવી છે. બહુજ ઓછા કેસમાં બંને વેક્સિનની સાઇડ ઇફેક્ટસ જોવા મળી છે. ત્યારે નિષ્ણાંતો વેક્સિન લીધા પહેલા અને લીધા પછી શું કરવું જોઇએ અને શું ધ્યાન રાખવું જોઇએ તેની સલાહ આપી છે.

1) જો તમને કોઇ દવા કે ડ્રગ્સની એલર્જી છે તો આ અંગે તમે ડૉક્ટરને આ બાબતે જાણ કરો. ડૉક્ટરોની સલાહ પર તમારી કમ્પલિટ બ્લડ કાઉન્ટીંગ (CBC), સી-ક્રિએટિવ પ્રોટીન (સીઆરપી) અથવા ઇમ્યુનોગ્લોબિન-ઇ (આઇજીઇ) સ્તરની તપાસ કરી શકાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2) રસી લેતા પહેલા સારી રીતે ખાઓ. જો ડૉક્ટર કોઈ દવા સૂચવે છે, તો તે રસી પહેલાં પણ લઈ શકાય છે. વેક્સિન લેતા પહેલા ફ્રેશ રહો, કોઇ તાણ ન અનુભવો.જો તમે વધારે ગભરાઇ રહ્યાં છો તો તમે કાઉન્સીંલીંગનો સહારો લઇ શકો છો.

3) જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે તો તેની યોગ્ય તપાસ કરાવો. કેન્સરના દર્દી, ખાસ કરીને જેમની કિમિયોથેરાપીની સારવાર ચાલી રહી છે. તેમણે વેક્સિન લેતા પહેલા તબીબની સારવાર લેવી જરૂરી છે.

4) જે લોકોએ કોવિડ-19ના ઇલાજ માટે બ્લડ પ્લાઝમા કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ લીધી છે. અથવા તો જે લોકો એક -દોઢ મહિના પહેલા કોરોના સંક્રિમત થયા છે. તેમને કોરોના વેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવે છે. અને, જો વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થયા છો તો બીજો ડોઝ લેવા કેટલાક અઠવાડિયા સુધી ટાળવો જોઇએ.

5) વેક્સિન લેનારને જોઇ ખતરનાક એલર્જી દેખાય તો તુરંત જ તેને વેક્સિન સેન્ટરમાં તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. અને આવા લોકોને ત્યાંથી જવા દેવામાં આવતા નથી. જયાં સુધી તેમનો યોગ્ય ઇલાજ ન થઇ જાય.

6) ઇન્જેકશન લીધા પછી તાવ આવતો, ઇન્જેકશનની લીધી હોય તે જગ્યાએ દુખાવો થવો સામાન્ય લક્ષણ છે. એટલે ગભરાવવાની કોઇ જરૂર નથી. ઠંડી લાગવી અને થાક લાગવો જેવા લક્ષણો પણ દેખાય છે. પરંતુ, થોડા જ દિવસોમાં આ લક્ષણો ઠીક થઇ જશે.

7) જો રસી પછી, તમને ઈન્જેક્શન સાઇટ પર પીડા, તાવ અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કિસ્સામાં, પુષ્કળ પીણાં પીવો. સ્વચ્છતાની વિશેષ કાળજી લો અને ઇંજેક્શન સાઇટ પર થોડું ભીનું કપડું લગાવો.

8) રસીકરણ પછી, તમે પોષક આહાર લઈ શકો છો. તમારી ઉંઘની પણ સંભાળ રાખો. સખત આલ્કોહોલ અને ધૂમ્રપાન ટાળો.

9) રસી આપણી રોગપ્રતિકારક શક્તિને બાહ્ય ચેપને ઓળખવા અને લડતા શીખવે છે. રસીકરણ પછી, વાયરસ સામે પ્રતિરક્ષા વિકસિત થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

10) વેક્સિન લીધા પછી શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ થવામાં થોડો સમય લાગે છે. એટલેકે એક મહિના સુધી વેક્સિન લીધા બાદ કોરોનાનું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">