AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 25 કેસ નોંધાયા, સરકારે કહ્યું – આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું મોનિટરિંગ વધાર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 25 કેસ નોંધાયા છે. નોંધાયેલા તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 25 કેસ નોંધાયા, સરકારે કહ્યું - આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું મોનિટરિંગ વધાર્યું
Corona Test
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:47 PM
Share

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) 25 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિદેશ પ્રવાસ બાદ ભારતમાં આવનારા મુસાફરોની દેખરેખ, સ્ક્રીનિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય રાજ્યોએ પણ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસનો (Corona Virus) સકારાત્મક દર ગત સપ્તાહે દેશમાં 0.73 ટકા રહ્યો છે. આ રીતે કોરોનાની ગતિ ધીમી થતી જોવા મળી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 25 કેસ નોંધાયા છે. નોંધાયેલા તમામ કેસોમાં (Corona Cases) હળવા લક્ષણો જોવા મળ્યા છે. અત્યાર સુધી નોંધાયેલા તમામ વેરિયન્ટના આ માત્ર 0.04 ટકા છે. તેમણે કહ્યું કે 24 નવેમ્બર સુધીમાં બે દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ મળી આવ્યા હતા. હવે આ પ્રકાર 59 દેશોમાં દેખાયો છે. આ 59 દેશોમાં ઓમિક્રોનના કુલ 2,936 કેસ નોંધાયા છે. આ સિવાય 78,054 સંભવિત કેસો મળી આવ્યા છે. તેની જીનોમ સિક્વન્સિંગ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરોની દેખરેખમાં વધારો આરોગ્ય મંત્રાલયના (Health Ministry) સંયુક્ત સચિવે કહ્યું કે WHO એ હાઇલાઇટ કર્યું કે રસીકરણ સિવાય, જાહેર આરોગ્યના પગલાનું સતત પાલન કરવું જોઈએ. પૂરતી સાવચેતીનું પાલન કરવું જોઈએ. જાહેર આરોગ્યના પગલામાં શિથિલતાને કારણે યુરોપમાં કેસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મુસાફરોની દેખરેખ, અસરકારક તપાસ અને દેખરેખ વધારવામાં આવી છે. આ ઉપરાંત, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. અગ્રવાલે કહ્યું કે રાજ્યોને તેમની દેખરેખ વધારવા અને અન્ય દેશોમાંથી આવતા મુસાફરોનું સક્રિયપણે પરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં વધુ સક્રિય કેસ લવ અગ્રવાલે જણાવ્યું કે ગયા અઠવાડિયે દેશમાં કુલ સકારાત્મકતા દર 0.73 ટકા હતો. છેલ્લા 14 દિવસમાં 10,000થી ઓછા કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં સક્રિય કેસોની સંખ્યા વધુ છે. કેરળમાં 43 ટકા એક્ટિવ કેસ છે, તો મહારાષ્ટ્રમાં આ સંખ્યા 10 ટકા છે.

ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશ અને વિશ્વ બંનેમાં કોવિડની સ્થિતિ પર નજર રાખવા માટે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભયનું વાતાવરણ ઊભું કરવાનું બંધ કરવા અમને મદદની જરૂર છે. તેમણે કહ્યું કે જો 50 ટકાથી વધુ સકારાત્મકતા હશે તો જિલ્લા સ્તરે પ્રતિબંધો લાગુ થશે.

આ પણ વાંચો : Human Rights Day: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો ભારતમાં નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારો વિશે

આ પણ વાંચો : દેશમાં 18 વર્ષથી ઉપરના 86 ટકા લોકોને ઓછામાં ઓછો રસીનો અપાઈ ચૂક્યો છે એક ડોઝ, જીનોમ સિક્વન્સિંગ માટે 36 લેબ કાર્યરત

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">