Corona Update : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, 8000થી વધુ નવા કેસ, સક્રિય કેસ 44 હજારને પાર

Corona Update:મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 195.07 કરોડથી વધુ કોરોના (Corona)રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 13,04,427 રસીના ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન જ આપવામાં આવ્યા છે.

Corona Update : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, 8000થી વધુ નવા કેસ, સક્રિય કેસ 44 હજારને પાર
દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે , 8000થી વધુ નવા કેસImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 11:08 AM

Corona Update: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે. સક્રિય કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. આજે પણ દેશભરમાંથી 8000 થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Health Ministry) આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કોવિડ-19 (Covid-19)ના 8582 નવા કેસ નોંધાયા છે, જે શનિવાર કરતા વધુ છે. શનિવારે, કોરોનાનો આ આંકડો 8329 હતો.

જ્યારે ચેપના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે, ત્યારે મૃત્યુઆંકને કારણે થોડી રાહત મળી છે. લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, મૃત્યુઆંક સ્થિર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે. મૃત્યુના આ આંકડાઓ પછી, દેશમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5,24,761 થઈ ગઈ છે. ચેપને કારણે મૃત્યુની ટકાવારી 1.21 છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત દિવસે 4435 લોકો કોવિડમાંથી સાજા પણ થયા છે. નવા આંકડા સાથે, દેશમાં ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4,26,52,743 પર પહોંચી ગઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

44000 થી વધુ સક્રિય કેસ

જો આપણે સક્રિય કેસોની વાત કરીએ તો, હાલમાં દેશમાં 44000 થી વધુ એટલે કે 44,513 લોકો કોરોના સામે લડી રહ્યા છે. સક્રિય દર્દીઓ કુલ કેસના 0.10 ટકા છે. નોંધપાત્ર રીતે, ભારતમાં દૈનિક પોઝિટીવીટી દર 2.71% છે. રિકવરી રેટ 98.68 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 195.07 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 13,04,427 રસીના ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન જ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા વધીને 1,95,07,08,541 થઈ ગઈ છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 85.48 કરોડ (85,48,59,461) પર પહોંચી ગયો છે. જેમાં શનિવારે પરીક્ષણ કરાયેલા 3,16,179 સેમ્પલનો સમાવેશ થાય છે.

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">