Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે

પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.

Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે
PFizer tablet ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:07 AM

યુએસ એફડીએએ બુધવારે કોરોના(Corona) મહામારી સામેની લડાઈ માટે ફાઈઝરની(Pfizer)  ગોળી પેક્સલોવિડને(Paxlovid)  મંજૂરી આપી છે. હવે પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોનાની સારવાર દરમિયાન 12 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ઉચ્ચ જોખમમાં થઈ શકે છે. જો કે, આ ટેબ્લેટના ગ્રીન સિગ્નલની હજુ પણ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલી દવા છે જેનાથી નવા  સંક્રમિત દર્દીઓ હવે હોસ્પિટલમાંથી બહાર રહેવા માટે ઘરે જઈ શકશે. ફાઈઝરની પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં કરવામાં આવશે.

આ ગોળી કોરોના મહામારી સામે એક આશાનું કિરણ છે.  જે લાખો લોકોને સારવાર માટેની  મંજૂરી આપશે. અમેરિકાએ પેક્સલોવિડ નામની ટેબલેટ બનાવીને કોરોના સામે લડી રહેલા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હોવાનો દાવો પણ કર્યો છે. એફડીએના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ કહ્યું કે, વિશ્વના ઘણા દેશોમાં  કોવિડનું સ્વરૂપ બનેલા કોરોના વાયરસની સારવાર માટે સફળતાપૂર્વક એક ટેબલેટ તૈયાર કરવામાં આવી છે.

કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આ એક ઐતિહાસિક પગલું છે. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ આલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 2,200 લોકો પર  આ ટેબલેટનું પરીક્ષણ કર્યું અને તેમાં અણધાર્યા પરિણામો જોવા મળ્યા. ગોળીઓ મૃત્યુના જોખમને 88 ટકા સુધી ઘટાડી શકે છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

ઓમિક્રોન સામે કારગર થશે ? ઓમિક્રોન વેરિઅન્ટવિશે હમણાં જ ખબર પડી છે. એટલા માટે કંપનીએ હજુ સુધી તેનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આ દરમિયાન, નિષ્ણાતો કહે છે કે ટેબ્લેટની કાર્ય કરવાની રીત એન્ટિબોડીઝ અથવા રસીઓથી થોડી અલગ હોવાથી આ ટેબલેટ માત્ર ઓમિક્રોન જ નહીં કોરોનાના કોઈપણ પ્રકાર સામે અસરકારક રહેશે.

paxlovid ગોળીથી કોઈ જોખમ છે ? પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેના ઉપયોગની પરવાનગી આપી દીધી છે. આ સંદર્ભમાં સમિતિને સુરક્ષા સંબંધિત વધુ ખતરો જોવા મળ્યો નથી. Paxlovid Tablet પ્રોટીઝની પ્રવૃત્તિને અટકાવે છે.

પ્રોટીઝ એ એક એન્ઝાઇમ છે જે વાયરસની નકલ કરવામાં મદદ કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ એક અઠવાડિયામાં ઓમિક્રોનથી ચેપમાં લગભગ છ ગણો વધારો નોંધાવ્યો છે, પરંતુ દેશના મોટાભાગના ભાગોમાં ઓમિક્રોનનો વ્યાપ વધુ છે. ન્યૂ યોર્ક પ્રદેશ, દક્ષિણપૂર્વ, ઔદ્યોગિક મિડવેસ્ટ અને પેસિફિક નોર્થવેસ્ટમાં 90 ટકા જેટલા નવા કેસ માટે ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું નોંધાયું છે.

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
g clip-path="url(#clip0_868_265)">