Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

 કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. તેથી તૈયારી પૂર્ણ રાખો. એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બૂસ્ટર ડોઝને લઈને પણ નિર્ણય લઇ શકે છે.

Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે', WHOએ વ્યક્ત કરી ચિંતા
Omicron variant ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:45 AM

Omicron વેરિઅન્ટથી (Omicron Variant) કોરોના વાયરસ (Corona) દેશમાં વધુ એક પાયમાલી મચાવી શકે છે. આ સ્થિતિમાં ચિંતા વધી ગઈ છે, જેના વિશે જો હવે તૈયારીઓ કરવામાં નહીં આવે અને જો તેને હવે સંભાળવામાં નહીં આવે તો ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની શકે છે. કારણ કે ઓમિક્રોન આખી દુનિયામાં ફેલાઈ ગયો છે.

યુરોપના WHO ચીફ હંસ ક્લુગે કહ્યું કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું તોફાન આવી રહ્યું છે. ઓમિક્રોન યુરોપના 53 માંથી 38 દેશોમાં ફેલાયો છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં સાત લાખ લોકોના મોત થઈ શકે છે. ઓમિક્રોનનાકહેરને જોતા ચીનના શિયાન શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. 1 કરોડ 30 લાખ લોકોને આગામી આદેશ સુધી ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે કિન ઝિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું હોમ ટાઉન છે, કારણ કે અહીં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ પણ ઓમિક્રોન વિશે ભયાનક નિવેદન આપ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને આશંકા વ્યક્ત કરી છે કે, જો કેસ આ રીતે વધતા રહેશે તો ડિસેમ્બરના અંત સુધીમાં ફ્રાન્સમાં દરરોજ કોરોનાના એક લાખ નવા કેસ સામે આવી શકે છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 73 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે દરરોજ લગભગ 54 હજાર નવા દર્દીઓ નોંધાતા હતા. એકલા પેરિસમાં, 35% કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે.

બ્રિટન અને અમેરિકા બાદ હવે ઈઝરાયેલમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં એક 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રસીના ચોથા ડોઝ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય ઈઝરાયેલે દેશની બહારથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

સિંગાપોરમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને કડક વલણ અપનાવ્યું છે. સિંગાપોર સરકારે આગામી વર્ષે 23 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી નવી ટિકિટો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. સિંગાપોરે ક્વોરેન્ટાઇન ફ્રી ટ્વેલને લઈને એક પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ વાયરસના ભયને કારણે તેણે ચાર અઠવાડિયા માટે એર ટિકિટ બુક કરવાનું બંધ કરી દીધું હતું.

જો ભારતની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના નાદિયામાં ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા હતા. જાણવા મળ્યું કે નદિયાના કલ્યાણી વિસ્તારની એક શાળાના 29 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે બે દિવસ પહેલા બે બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. બંનેને શરદી-તાવ અને ઉધરસની ફરિયાદ હતી.

શાળાના સત્તાવાળાઓએ તેને કોરોના ટેસ્ટ માટે મોકલ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવતાં એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને શાળામાં 300 થી વધુ બાળકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો. હવે જ્યારે બાળકોના ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા ત્યારે વહીવટીતંત્રના હોશ ઉડી ગયા હતા. 29 બાળકોમાં ચેપ ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વહીવટીતંત્રને લાગે છે કે બાળકો હજી પણ વાયરસથી સંક્રમિત થઈ શકે છે અને તેથી ફરી એકવાર ટેસ્ટ કરવામાં આવ્યું.

શાળાના પ્રિન્સિપાલ મૌસુમી નાગે જણાવ્યું કે આજે પણ ખાસ કેમ્પ દ્વારા ઘણા બાળકોના ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે તેમનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે કેટલા બાળકોને ચેપ લાગ્યો છે. હાલમાં શાળા ખુલ્લી છે, પરંતુ આગળ અમે આ બાબતે અમારી ઓફિસને જાણ કરીશું અને તે પછી તેઓ આપેલી સૂચનાનું પાલન કરશે.

મળતી માહિતી અનુસારકેજરીવાલ કોરોનાના સંભવિત ત્રીજી લહેરને લઈને ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવા જઈ રહ્યા છે. જેમાં હોસ્પિટલો બેડ, ઓક્સિજન, દવાઓ સહિત હોમ આઈસોલેશન માટેની તૈયારીઓની સમીક્ષા કરશે.

આ વેરિઅન્ટ વિશ્વના લગભગ 100 દેશોમાં જોવા મળે છે, પરંતુ આપણા દેશમાં કેટલાક લોકો એવા છે. જેઓ જાણીજોઈને આ વાઈરસને તેમના ઘરે લઈ જવા માટે તૈયાર છે. પ્રવાસન સ્થળ પર લોકો એકઠા થઈ રહ્યા છે. રાજ્યોને નવા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહી રહ્યા હતા કે એવી જગ્યાઓથી દૂર રહો, જ્યાં સુપર સ્પ્રેડર બનવાનો ખતરો હોય. પરંતુ માત્ર બજાર જ નહીં પરંતુ પર્યટન સ્થળો પણ કોરોનાના હોટ સ્પોટ બની શકે છે. પાર્ટીનો સમય છે અને ક્રિસમસ અને નવા વર્ષની રજા છે, તેથી ઘણા લોકો બેપરવાહ છે. શિમલાથી લઈને ઉત્તરકાશી કે નૈનીતાલ સુધી, આ દિવસોમાં હજારો પ્રવાસીઓ પર્વતો પર પહોંચી રહ્યા છે. જો આમાંથી એક ઓમિક્રોન પકડે તો તે કેટલા લોકોમાં ફેલાઈ શકે? તેનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ નથી. જોકે લોકોને તેની ચિંતા નથી. હોટેલો ભરેલી છે.

કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે દરેક લેવલ પર કામ થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજે સાંજે ઓમિક્રોન પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ સાથે દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની શું હાલત છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યો પાસેથી માહિતી માંગવામાં આવી છે કે તેમની જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિ શું છે.

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

આ પણ વાંચો : Winter Science: શિયાળામાં આંગળીઓ કેમ ઠરી જાય છે અને આ ઋતુમાં વજન કેમ નથી વધતું ? જાણો શુ છે કારણ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">