કોરોનાના કહેર વચ્ચે સતર્કતા : સરકારે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો સમગ્ર વિગત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેથી દર્દીઓએ હવે આ ગાઈડલાઈનને અનુસરવાની રહેશે.

કોરોનાના કહેર વચ્ચે સતર્કતા : સરકારે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો સમગ્ર વિગત
Revised guidelines for home isolation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 3:45 PM

New Home Isolation Guidelines: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Third Wave) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એક્શનમાં જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એસિમ્પટમેટિક કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન (Home Isolation) માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, પોઝિટિવ આવ્યાના સાત દિવસ બાદ અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો દર્દીને હોમ આઈસોલેશનના નવા નિયમો હેઠળ રજા આપવામાં આવશે.

હોમ આઇસોલેશન બાદ પરીક્ષણની જરૂર નથી

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી ફરીથી પરીક્ષણની જરૂર નથી. ડેટા અનુસાર, છેલ્લા 9 દિવસમાં દેશમાં કોરોનાના કેસ 6 ગણાથી વધુ વધી ગયા છે. જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ ત્રણ દિવસમાં બમણા થઈ ગયા છે. જેથી આ માટે નવી હોમ આઈસોલેશન ગાઈડલાઈન(Revised Guidelines)  જરૂરી છે.

શું છે હોમ આઇસોલેશનના નવા નિયમો ?

આ નવી ગાઈડલાઈન અનુસાર વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત કોરોનાના હળવા લક્ષણોવાળા (Corona Symptoms) દર્દીઓ ઘરે જ આઈસોલેટ થાશે, આ માટે યોગ્ય વેન્ટિલેશન હોવું જરૂરી છે. દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય દર્દીને વધુમાં વધુ પ્રવાહી લેવા જણાવવામાં આવ્યુ છે. ઉપરાંત જે દર્દીઓ HIV સંક્રમિત છે અથવા જેમને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તેને ડૉક્ટરની સલાહ પછી જ હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એસિમ્પટમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ જેમની ઓક્સિજન લેવલ 93% થી વધુ છે તેમને હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમને (Control Room) હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યુ છે.જેથી કંટ્રોલ રૂમ જરૂર પડ્યે તેમને સમયસર ટેસ્ટિંગ અને હોસ્પિટલના બેડ ઉપલબ્ધ કરાવી શકે. આ સાથે દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ ફરમાવવામાં છે. તેમજ સીટી સ્કેન અને છાતીનો એક્સ-રે ડોક્ટરની સલાહ વગર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : કોરોનાનો કહેર : MNS ચીફ રાજ ઠાકરેનો સ્ટાફ થયો કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 26 મોટા નેતા કોરોનાની ઝપેટમાં

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">