Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: વડીલો અને પહેલાથી જ બીમાર લોકો માટે કોરોના ખતરનાક ! એમ નહીં મળે છુટકારો : એક્સપર્ટ

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના HOOD પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે હાલમાં દેશમાં કોરોનાને કારણે સ્થિતિ નિયંત્રણમાં છે.

Corona: વડીલો અને પહેલાથી જ બીમાર લોકો માટે કોરોના ખતરનાક ! એમ નહીં મળે છુટકારો : એક્સપર્ટ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 11:42 PM

Corona: દેશમાં કોરોના વાયરસ (Corona Virus ) ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે  આવી સ્થિતિમાં  લોકો હવે કોરોના પ્રત્યે બેદરકાર બની રહ્યા છે. લોકોને લાગે છે કે આ રોગચાળો હવે હંમેશા  માટે ખતમ થઈ જશે. જો કે આરોગ્ય નિષ્ણાતો (Experts) લોકોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાનો પ્રકોપ ઓછો થયો હોય, પરંતુ તે સમાપ્ત થયો નથી. વૃદ્ધો અને લાંબા સમયથી રોગથી પીડાતા દર્દીઓ માટે ચેપ હજુ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં એ વિચારવું યોગ્ય નથી કે કોરોનાથી જલ્દી છુટકારો મળી જશે. વાઇરસમાં મ્યુટેશન થતું રહે છે એ  ક્યારે બદલાઈ જશે એ વિશે કંઈ કહી શકાય નહીં. એટલા માટે એ જરૂરી છે કે લોકો પોતાની સંભાળ રાખે અને કોરોના પ્રત્યે બેદરકાર ન રહે.

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના HOOD પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે હાલમાં દેશમાં કોરોનાને કારણે સ્થિતિ નિયંત્રણમાં છે. મોટી વસ્તીના સંક્રમણને કારણે લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ની હળવી અસર અને રસીકરણને કારણે આ વખતે ત્રીજી તરંગ જીવલેણ ન હતી, પરંતુ એ માનવું યોગ્ય નથી કે કોરોના હવે સમાપ્ત થઈ જશે  કારણ કે  આ  વૈશ્વિક રોગચાળો છે.

આ વાયરસનું નવું સ્વરૂપ કયા દેશમાં કે પ્રદેશમાં બને છે તે વિશે કંઈ કહી શકાય નહીં. દેશમાં બીજી લહેર પછી પણ ઘણા મહિનાઓ સુધી સ્થિતિ સામાન્ય હતી, પરંતુ પછી ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યું, જેના કારણે કેસ ઝડપથી વધ્યા. આવી સ્થિતિમાં, તે વિચારવું ખૂબ જ વહેલું છે કે હવે કોરોના રોગચાળો સમાપ્ત થશે કે કોઈ નવો પ્રકાર આવશે નહીં.

ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો
'અનુપમા'ના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી કેટલો ચાર્જ લે છે, જાણો
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?

વાઇરસમાં થતું રહે છે મ્યુટેશન

દિલ્હીની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમાર કહે છે કે કોરોના વાયરસ વૃદ્ધો અને કોમોર્બિડિટીવાળા લોકો માટે જોખમ રહે છે. આવી સ્થિતિમાં, કોરોનાથી હંમેશ માટે છૂટકારો મેળવવાની શક્યતા ઓછી છે. ઓમિક્રોન વેરિઅન્ટ સાથે આ વખતે આ તરંગ હળવી હોઈ શકે છે, પરંતુ વાયરસમાં પરિવર્તનો આવી રહ્યા  છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં આ રોગચાળાનું સ્વરૂપ શું હશે તે અંગે કોઈ પણ દાવા સાથે કંઈ કહી શકાય તેમ નથી.

આ પણ વાંચો: કોરોના પર WHOની મોટી ચેતવણી, હજુ મહામારી સમાપ્ત નથી થઈ, આગળ ઘણા વેરિએન્ટ્સ આવશે

આ પણ વાંચો: Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">