ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર

વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર
ITC Limited
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:04 AM

FMCG, હોટલ અને એગ્રીબિઝનેસ જેવા ઘણા ક્ષેત્રોમાં અગ્રણી કંપની આઇટીસી (ITC)માં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કરોડપતિ કર્મચારીઓ(Millionaire employees)ની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન વાર્ષિક રૂપિયા 1 કરોડથી વધુની કમાણી કરનારા ITC કર્મચારીઓ(employee)ની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. ITCના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે દર મહિને રૂ. 8.5 લાખ અથવા પ્રતિ વર્ષ રૂ. 1 કરોડથી વધુ કમાનારા કર્મચારીઓની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષમાં વધીને 220 થઈ ગઈ છે જ્યારે 2020-21માં 153 કર્મચારીઓને આટલો પગાર (salary) મળતો હતો.

કેટલો પગાર મળે છે

વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં કંપનીના 220 કર્મચારીઓને વાર્ષિક 1.02 કરોડ રૂપિયા મળ્યા છે. જે દર મહિને 8.5 લાખ રૂપિયાથી વધુ છે. બીજી તરફ FY22 માં ITCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીને કુલ રૂ. 12.59 કરોડનો પગાર મળ્યો જે પાછલા વર્ષ કરતાં 5.35 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં પુરીની કુલ સેલેરી 11.95 કરોડ રૂપિયા હતી. 2021-22માં પુરીના કુલ પગારમાં રૂ. 2.64 કરોડનો પગાર, રૂ. 49.63 લાખના અન્ય લાભો અને રૂ. 7.52 કરોડના પરફોર્મન્સ બોનસનો સમાવેશ થાય છે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

કુલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો

31 માર્ચ 2022 ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 23829 હતી. જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 8.4 ટકા ઓછી છે. જેમાં 21,568 પુરૂષ અને 2,261 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.કંપનીમાં કાયમી કર્મચારીઓ ઉપરાંત 25,513 વધુ કર્મચારીઓ કામ કરતા હતા. 31 માર્ચ, 2021ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 26,017 હતી. 2021-22માં ITC કર્મચારીઓના સરેરાશ પગારમાં 7 ટકાનો વધારો થયો છે. વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 8 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ITC આવક રૂ. 59,101 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 48,151.24 કરોડ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ‘અગ્નિવીર’ને આપશે નોકરી

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ ‘અગ્નિપથ યોજના’ (Agnipath Scheme)ને લઈને મોટી જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આર્મીમાં ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરો(Agniveer)ની ભરતીની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ‘અગ્નિપથ સ્કીમ’ પર ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી કરવાની આ તકને આવકારે છે. સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે જેમાં દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં ભરતી માટે તક આપવામાં આવશે. આ યોજનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીરનું નામ આપવામાં આવશે. તેમાં 4 વર્ષની સેવા પછી રોજગાર સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ સામેલ છે.

વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરી 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">