AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર

વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર
ITC Limited
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:04 AM
Share

FMCG, હોટલ અને એગ્રીબિઝનેસ જેવા ઘણા ક્ષેત્રોમાં અગ્રણી કંપની આઇટીસી (ITC)માં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કરોડપતિ કર્મચારીઓ(Millionaire employees)ની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન વાર્ષિક રૂપિયા 1 કરોડથી વધુની કમાણી કરનારા ITC કર્મચારીઓ(employee)ની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. ITCના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે દર મહિને રૂ. 8.5 લાખ અથવા પ્રતિ વર્ષ રૂ. 1 કરોડથી વધુ કમાનારા કર્મચારીઓની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષમાં વધીને 220 થઈ ગઈ છે જ્યારે 2020-21માં 153 કર્મચારીઓને આટલો પગાર (salary) મળતો હતો.

કેટલો પગાર મળે છે

વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં કંપનીના 220 કર્મચારીઓને વાર્ષિક 1.02 કરોડ રૂપિયા મળ્યા છે. જે દર મહિને 8.5 લાખ રૂપિયાથી વધુ છે. બીજી તરફ FY22 માં ITCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીને કુલ રૂ. 12.59 કરોડનો પગાર મળ્યો જે પાછલા વર્ષ કરતાં 5.35 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં પુરીની કુલ સેલેરી 11.95 કરોડ રૂપિયા હતી. 2021-22માં પુરીના કુલ પગારમાં રૂ. 2.64 કરોડનો પગાર, રૂ. 49.63 લાખના અન્ય લાભો અને રૂ. 7.52 કરોડના પરફોર્મન્સ બોનસનો સમાવેશ થાય છે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

કુલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો

31 માર્ચ 2022 ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 23829 હતી. જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 8.4 ટકા ઓછી છે. જેમાં 21,568 પુરૂષ અને 2,261 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.કંપનીમાં કાયમી કર્મચારીઓ ઉપરાંત 25,513 વધુ કર્મચારીઓ કામ કરતા હતા. 31 માર્ચ, 2021ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 26,017 હતી. 2021-22માં ITC કર્મચારીઓના સરેરાશ પગારમાં 7 ટકાનો વધારો થયો છે. વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 8 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ITC આવક રૂ. 59,101 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 48,151.24 કરોડ હતી.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ‘અગ્નિવીર’ને આપશે નોકરી

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ ‘અગ્નિપથ યોજના’ (Agnipath Scheme)ને લઈને મોટી જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આર્મીમાં ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરો(Agniveer)ની ભરતીની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ‘અગ્નિપથ સ્કીમ’ પર ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી કરવાની આ તકને આવકારે છે. સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે જેમાં દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં ભરતી માટે તક આપવામાં આવશે. આ યોજનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીરનું નામ આપવામાં આવશે. તેમાં 4 વર્ષની સેવા પછી રોજગાર સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ સામેલ છે.

વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરી 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">