AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે

કોમવિવા(Comviva) મુખ્યત્વે મોબાઇલ ઉપકરણ આધારિત એપ્સ અને ટેક્નોલોજીઓ માટે આઇટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કોમવિવાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મનોરંજન મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવે કંપનીનું ધ્યાન ટિયર 2 શહેર પર છે

Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે
Hiring
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:29 AM
Share

જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી પાસે એક સુવર્ણ તક છે. ટેક મહિન્દ્રા ગ્રૂપ(Tech Mahindra)ની કંપની કોમવિવા (Comviva) જુલાઈ 2022 સુધીમાં લગભગ 600 એન્જિનિયરોની ભરતી કરશે. કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધિની જરૂરિયાતોને પહોંચી વળવા અને કર્મચારીઓની એટ્રિશનની અસરને ઘટાડવા માટે આ ભરતી જરૂરી છે.

કોમવિવા મુખ્યત્વે મોબાઇલ ઉપકરણ આધારિત એપ્સ અને ટેક્નોલોજીઓ માટે આઇટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કોમવિવાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મનોરંજન મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવે કંપનીનું ધ્યાન ટિયર 2 શહેર પર છે અને આ ક્રમમાં ભુવનેશ્વર કેન્દ્રનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટર ત્રણ વર્ષ પહેલા કંપનીની નવી વ્યૂહરચના હેઠળ ખોલવામાં આવ્યું હતું.

કોમવિવાની ટીમમાં લગભગ 2 હજાર સભ્યો છે મહાપાત્રાએ કહ્યું, “અમારી ટીમમાં લગભગ 2,000 સભ્યો છે. અમે વાર્ષિક આશરે 600 લોકોની ભરતી કરીશું. તેમાંથી લગભગ 300 યુનિવર્સિટીઓમાંથી સીધી ભરતી કરવામાં આવશે જ્યારે બાકીના 200 કે 300 અનુભવી હશે.

એટ્રિશન રેટ 20-23 ટકા થઈ ગયો છે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં કંપનીમાં એટ્રિશન રેટ વધીને લગભગ 20-23 ટકા થયો છે જે ભૂતકાળમાં 15-16 ટકા હતો. મહાપાત્રાએ જણાવ્યું હતું કે કંપની જુલાઈ 2022 સુધીમાં લગભગ 600 લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે અને તે પછી પણ ભુવનેશ્વર કેન્દ્રમાં માનવ સંસાધનને વધારવા માટે ભરતી ચાલુ રહેશે.

કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10-12 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે આવક વૃદ્ધિ અંગે તેમણે જણાવ્યું હતું કે કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10-12 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ 2020-21માં કોમવિવાની આવક 845.1 કરોડ હતી.

Tech Mahindra ના શેરે ૧ વર્ષમાં 76% રિટર્ન આપ્યું Tech Mahindra કંપનીનો શેર શુક્વારે 1,601 રૂપિયા પર બંધ થયો છે. કંપનીનો શેર ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ૯૦૯ રૂપિયા ઉપર નોંધાયો હતો જેને આજને ૭૬ ટકા રિટર્ન આપ્યું છે. કંપનીની માર્કેટમાં સ્થિત આ મુજબ છે

Mkt cap            1.55LCr P/E ratio          27.83 Div yield          0.94% CDP                 score A 52-wk high    1,638.25 52-wk low     890.00

આ પણ વાંચો : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 300 જગ્યાઓ માટે ભરતી, ITI અને ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી

આ પણ વાંચો : ICAI CA Foundation Exams 2021: સોમવારથી CA ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ, આ મહત્વપૂર્ણ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">