AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Result 2021: આ તારીખે RRB NTPC પરિણામ થશે જાહેર, જાણો CBT-2નું શેડ્યૂલ

RRB NTPC result date 2021: RRB NTPC ઉમેદવારો માટે મહત્વની માહિતી. રેલ્વે ભરતી બોર્ડ એટલે કે, RRBએ NTPC CBT 1 પરીક્ષા (RRB NTPC)ની પરિણામ તારીખ જાહેર કરી છે.

RRB NTPC Result 2021: આ તારીખે RRB NTPC પરિણામ થશે જાહેર, જાણો CBT-2નું શેડ્યૂલ
RRB NTPC result date 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:14 PM
Share

RRB NTPC result date 2021: RRB NTPC ઉમેદવારો માટે મહત્વની માહિતી. રેલ્વે ભરતી બોર્ડ એટલે કે, RRBએ NTPC CBT 1 પરીક્ષા (RRB NTPC)ની પરિણામ તારીખ જાહેર કરી છે. આ સંદર્ભમાં, રેલવે ભરતી બોર્ડે RRB અલ્હાબાદની સત્તાવાર વેબસાઇટ rrbald.gov.in પર નોટિસ જાહેર કરીને માહિતી આપી છે.

RRB NTPC પરિણામ 2021ની સાથે CBT 2 પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જોકે આ શેડ્યૂલ કામચલાઉ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓએ જાણવું જોઈએ કે તેમનું પરિણામ ક્યારે આવશે અને તેઓ તેમના પરિણામો કેવી રીતે તપાસી શકશે.

RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, રેલ્વે નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે NTPC CBT 1 પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી 2022 સુધીમાં જાહેર કરવામાં આવશે. જાણો કે તમે તમારું પરિણામ કેવી રીતે ચેક કરી શકશો?

આ રીતે ચકાસો પરિણામ

RRB NTPC CBT 1 પરિણામ 2021 ની ઘોષણા પછી, તમારે તમારી સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. ઉદાહરણ તરીકે – RRB અલ્હાબાદ માટે rrbald.gov.in તે વેબસાઇટના હોમ પેજ પર, તમને RRB NTPC પરિણામ 2021 (CBT 1)ની લિંક મળશે. તેને ક્લિક કરો. પીડીએફ ફોર્મેટમાં પરિણામ તમારા મોબાઈલ/કોમ્પ્યુટર સ્ક્રીન પર ખુલશે. પરીક્ષા પાસ કરનાર તમામ ઉમેદવારોને રોલ નંબર આપવામાં આવશે. તમે તમારો રોલ નંબર શોધો. શોધવા માટે, ctrl+F દબાવો અને દેખાતા બોક્સમાં તમારો રોલ નંબર દાખલ કરો.

RRB NTPC CTB 2 પરીક્ષા ક્યારે યોજાશે?

જે ઉમેદવારો CBT 1 પરીક્ષામાં સફળ થશે તેમને RRB NTPC CBT 2 પરીક્ષામાં બેસવાની તક મળશે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે. જો કે, કોવિડ-19 રોગચાળાને કારણે, તે સમય સુધીની સ્થિતિ અને સરકારની માર્ગદર્શિકા અનુસાર આ તારીખો પણ બદલી શકાય છે. તમને RRBની વેબસાઇટ પર દરેક નવીનતમ અપડેટ મળશે. NTPC CBT 1 પરીક્ષા RRB દ્વારા 28 ડિસેમ્બર 2020 થી 31 જુલાઈ 2021 સુધી કુલ 7 જુદા જુદા તબક્કામાં લેવામાં આવી હતી.

સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા માચે અહીં ક્લિક કરો

આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ

આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">