Nelson Mandela Day: રંગભેદ સામે લડતા, 27 વર્ષ જેલમાં રહ્યા, પછી પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા, જાણો નેલ્સન મંડેલા વિશે

Nelson Mandela International Day: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ નેલ્સન મંડેલાની યાદ અને સન્માનમાં દર વર્ષે 18 જુલાઈએ ઉજવવામાં આવે છે. મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.

Nelson Mandela Day: રંગભેદ સામે લડતા, 27 વર્ષ જેલમાં રહ્યા, પછી પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા, જાણો નેલ્સન મંડેલા વિશે
Nelson Mandela ને આફ્રિકાના 'ગાંધી' કહેવામાં આવે છે. (સાંકેતિક ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:32 PM

Nelson Mandela Day: આજે નેલ્સન મંડેલાની (Nelson Mandela) જન્મજયંતિ છે. નેલ્સન મંડેલાને આફ્રિકાના ‘ગાંધી’ કહેવામાં આવે છે. વિશ્વવ્યાપી શાંતિના રાજદૂત તરીકે જાણીતા, રંગભેદ સામેની લડતમાં નેલ્સન મંડેલાના યોગદાનને ભૂલી શકાય નહીં. ગાંધીની જેમ, મંડેલા પણ એક એવી વ્યક્તિ હતા જેમણે અહિંસાના માર્ગ પર ચાલ્યા. મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.

શાંતિ માટે નોબેલ પુરસ્કાર મેળવનારા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની જન્મજયંતિની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની (Nelson Mandela International Day) ઉજવણી કરવામાં આવે છે. તેનો નિર્ણય 18 જુલાઈ 2010 ના રોજ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય એક એવા મહાન વ્યક્તિના (Nelson Mandela) સન્માન માટે લેવામાં આવ્યો હતો જેમણે સામાન્ય લોકોની ભલાઈ માટે જ નહીં, પરંતુ તેની તેમણે કિંમત પણ ચૂકવી હતી.

જેલમાં વિતાવ્યા 27 વર્ષ

1944 માં આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા પછી, નેલ્સન મંડેલાએ રંગભેદ સામે આંદોલન શરૂ કર્યું. તે જ વર્ષે, તેમણે તેમના મિત્રો અને સાથીઓ સાથે આફ્રિકન નેશનલ કોંગ્રેસ યુથ લીગની (African National Congress Youth League) સ્થાપના કરી. 1947 માં, તેઓ લીગના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1961 માં, મંડેલા અને તેમના કેટલાક મિત્રો પર દેશદ્રોહ માટે કેસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ તેમાં નિર્દોષ જાહેર થયા. 5 August, 1962 ના રોજ, તેમને કામદારોને હડતાલ માટે ઉશ્કેરવા અને પરવાનગી વિના દેશ છોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 1964 માં તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રંગભેદ અને અન્યાય સામે લડત માટે 1964 થી 1990 સુધી, તેમણે જીવનના 27 વર્ષ જેલમાં પસાર કરવા પડ્યાં. તેને રોબબેન આઇલેન્ડની જેલમાં રાખવામાં આવ્યા હતા.

જ્યાં તેમણે કોલસાની ખાણમાં મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું. આ દરમિયાન તેમણે ગુપ્ત રીતે પોતાની જીવનચરિત્ર લખી હતી. જેલમાં લખાયેલું તેમનું જીવનચરિત્ર 1994 માં ‘લોંગ વોક ટૂ ફ્રીડમ’ (Long Walk to Freedom) નામના પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયું હતું.

જેલ છોડ્યા બાદ પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા

જેલમાં 27 વર્ષ વિતાવ્યા બાદ 11 ફેબ્રુઆરી 1990 ના રોજ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી સમજૂતી અને શાંતિની નીતિ દ્વારા, તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો. 1994 માં, દક્ષિણ આફ્રિકામાં બિન-રંગભેદની ચૂંટણી યોજાઇ હતી. આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મતો મળ્યા અને બહુમતીથી તેમની સરકાર બનાવી. 10 મે 1994 ના રોજ, મંડેલા તેમના દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">